છોટાઉદેપુર જિલ્લા નાબોડેલી તાલુકાના ચલામલી ગામે આવેલ ત્રિમંદિરમાં મહાત્માઓ, ભક્તો દ્વારા જન્માષ્ટમીની શ્રધ્ધાભેર ઉજવણી કરવામાં આવી

બોડેલી, (છોટાઉદેપુર) ચારણ એસ વી :-

છોટાઉદેપુર જિલ્લા નાબોડેલી તાલુકાના ચલામલી ગામે આવેલ ત્રિમંદિરમાં મહાત્માઓ, ભક્તો દ્વારા જન્માષ્ટમીની શ્રધ્ધાભેર ઉજવણી કરવામાં આવી હતી.સવારથી જ જન્માષ્ટમી પર્વને લઈને ભક્તોમાં ભારોભાર ઉત્સાહ જોવા મળ્યો હતો.ભક્તો ઘ્વારા આગલા દિવસે જ મંદિરને ફૂલો,લાઈટોથી શણગારવામાં આવ્યું હતું.જન્માષ્ટમીના દિવસે ભક્તોએ મંદિરમાં બાલકૃષ્ણની પૂજા,અર્ચના,આરતી કરી નંદ ઘેર આનંદ ભયો જય હો નંદ લાલકી,કૃષ્ણ કનૈયા લાલ કી જય ના નારાઓથી મંદિરનું વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું.નાના બાળકો ઘ્વારા મટકી ફોડ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.ભક્તોએ મંદિરના પરિસરમાં ગરબા રમીને ધન્યતા અનુભવી હતી.આમ ચલામલી ત્રિમંદીર ખાતે ભક્તો ઘ્વારા જન્માષ્ટમી પર્વની શ્રદ્ધાપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here