છોટાઉદેપુર : કેડીબેન રાઠવાના પિયરીયાએ પતિ વરસન રાઠવાના આંગણામાંજ કર્યા અંતિમ સંસ્કાર

છોટાઉદેપુર, સકીલ બલોચ :-

સામાન્યતઃ માનવ નું મૃત્યું થયા બાદ એના અંતિમ સંસ્કાર સ્મશાન માં જ થતાં હોય છે, પરંતુ છોટા ઉદેપુર તાલુકાના ગોંદરિયા ગામના જંગલ માંથી બે દિવસ અગાઉ કેડી બેન રાઠવા નો હત્યા કરાયેલો મૃતદેહ મળી આવ્યો હતો,

અને આ મૃતદેહ પોલીસ કોન્સ્ટેબલ ની પત્ની કેડી બેન રાઠવા હોવાનું સામે આવતા તેના પિયર પક્ષના સગાઓ રોષે ભરાયા હતાં, અને પી એમ બાદ પતિ વરસન રાઠવા ના આંગણા માંજ અગ્નિ દાહ આપવાનો નિર્ણય લીધો હતો,

આજે વડોદરા ખાતે પેનલ પી એમ થયા બાદ કેડી બેન રાઠવા ના પિયર પક્ષના સગાઓ મૃતદેહ ને પોટીયા આવે આવી પહોંચ્યા હતા,
અને પિયર પક્ષના લોકો ટ્રેકટર માં લાકડાં ભરી ને પોટોયા ગામે પહોંચી પતિ વરસન રાઠવા ના આંગણા માંજ આંતીમ સંસ્કાર કરવામાં આવ્યો હતો,

જોકે કાયદો અને વ્યવસ્થા ની સ્થિતિ કથળે નહિ તે બાબતે પોલીસ બંદોબસ્ત નો કાફલો પાટિયા ગામે ખડકી દેવામાં આવ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here