ગોકુલધામ નાર દ્વારા ભક્તિ સેવાશ્રમ વૃધ્ધાશ્રમના બા-દાદા ને યાત્રા પ્રવાસે મોકલવામાં આવ્યા

આણંદ, મંહમદ રફિક જે દિવાન કિસ્મત :-

ભક્તિ સેવાશ્રમ – વૃધ્ધાશ્રમ ના બા – દાદાઓનો યાત્રા પ્રવાસ તાજેતરમાં ગોકુલધામ – નાર ખાતે આવેલ ભક્તિસેવાશ્રમનાં બા દાદા ઓને યાત્રાપ્રવાસમાં લઈ જવામાં આવ્યા હતા . વૃધ્ધાશ્રમના બા – દાદા ઓને ધોલેરાધામ – મદનમોહનજી ના દર્શન કરાવ્યા બાદ પ્રસાદ લઈને રાજપરા ખોડિયારધામમાં દર્શન કરાવ્યા હતા . ત્યાંથી દર્શન કરીને ગઢપુરધામ ગયા હતા . ગોપીનાથજી મહારાજના આરતી – દર્શન કર્યા બાદ પ્રસાદ લઈ રાત્રિ રોકાણ કર્યું હતું . પ્રાઇવેટ મીનીબસમાં બા – દાદાઓ ભજન કીર્તન કરતા કરતા આનંદપૂર્વક યાત્રા કરી હતી . ગઢપુરથી સવારે ચા – નાસ્તો કર્યા બાદ સારંગપુરધામ કષ્ટભંજન દેવ નાં દર્શન કર્યા બાદ આનંદ કિલ્લોલ કરતા કરતા અરણેજ બુટભાવની માતાજીના દર્શન કર્યા બાદ બાજુમાં આવેલ ગણપતપુરામાં ગણપતિદાદાના દર્શન કરીને ગોકુલધામ પરત આવ્યા હતા યાત્રાના સહયોગી પરિવારના મનીષાબેન અને અતુલભાઈ પણ સેવાકાર્યમાં જોડાયા હતા પૂ.શુકદેવસ્વામી અને પૂ.હરિકેશવસવામી નાં આશીર્વાદથી યાત્રા સંપન્ન થઈ હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here