કાલોલ, (પંચમહાલ) મુસ્તુફા મિર્ઝા :-
કાલોલ નગરમાં આવેલ સંજીવની હોસ્પિટલમાં ગણપતિ દાદા નું સ્થાપન કરી આજે વિસર્જનના દિવસે ડોક્ટર સંજય મુખરજી અને તેમના સ્ટાફ દ્વારા ઇકો ફ્રેન્ડલી ગણપતિ બનાવી ત્યાં જ વિસર્જન કરવામાં આવ્યું આ હોસ્પિટલમાં દર વર્ષે ગણપતિનું સ્થાપન કરી દર્દીઓ જલ્દી સાજા થાય માદા ન પડે અને કોઈ રોગચાળો ન ફાટે તે માટે ડોક્ટર અને સ્ટાફ દ્વારા ગણપતિનું સ્થાપન કરી દર્દીઓ માટે પ્રાર્થના કરવામાં આવે છે અને દરેક રોગોની વિસર્જન થઈ જાય તેઓ ડોક્ટર અને સ્ટાફ દ્વારા દાદા ને વિનંતી કરવામાં આવે છે આ હોસ્પિટલમાં ગણપતિ બનાવી ત્યાં જ વિસર્જન કરી લોકોના આરોગ્ય માટે ગણપતિનું સ્થાપન કરી વિશિષ્ટ ગણપતિ વિસર્જન કરવામાં આવે છે આવા ડોક્ટર અને સ્ટાફ દ્વારા દરેક દવાખાનામાં ગણપતિનું સ્થાપન કરી પ્રાર્થના કરવામાં આવી કે આ દુનિયામાંથી રોગો દૂર થાય અને દર્દીઓ જલ્દી સાજા થાય..