કાલોલ શિશુ મંદિર શાળાના બાળકો સ્વચ્છતા હી સેવા અભિયાનમાં જોડાયા

કાલોલ, (પંચમહાલ) મુસ્તુફા મિર્ઝા :-

મહાત્મા ગાંધીજીના જન્મદિન નિમિત્તે સ્વચ્છતા હી સેવા અંતર્ગત સમગ્ર દેશમાં સ્વચ્છ ભારત અભિયાન ચાલી રહ્યું છે ત્યારે તારીખ ૧ ઓક્ટોબર ૨૦૨૩ ના દિવસે દેશના તમામ ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં જન પ્રતિનિધિઓ આગેવાની હેઠળ એક તારીખ એક કલાક સૂત્ર સાથે મહાશ્રમદાન પ્રવુતિઓ નું આયોજન કરવામાં આવ્યું છે જે અંતર્ગત શિશુ મંદિર કાલોલ શાળાના બાળકોએ સ્વચ્છતા હી સેવા અભિયાનમાં જોડાઈને પોતાની શાળાની સ્વછતા માં જોડાયા હતા શાળાનું મેદાન તેમજ વર્ગખંડોની સફાઈ કરી આ ઉપરાંત જ્યાં ત્યાં પડેલ પ્લાસ્ટીક ભેગું કરી તેનો નિકાલ કર્યો હતો આમ બાળકોએ ગાંધીજીની સ્વચ્છતા અંગેની જાણકારી પણ મેળવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here