આવતીકાલે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના જન્મદિવસ નિમિત્તે પંચમહાલ જિલ્લામાં કોરોના વેક્સિનેશન મહાઅભિયાન યોજાશે

ગોધરા,(પંચમહાલ) ઈશહાક રાંટા :-

1.48 લાખથી વધુ લોકોને કોરોના પ્રતિરોધક રસી અપાશે વેક્સિનેશન માટે 550 ટીમો, 84 મોબાઈલ યુનિટ તૈનાત કરાશે, 125 જેટલા ગામમાં 100 ટકા રસીકરણનું આયોજન

આવતીકાલે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના જન્મદિવસ નિમિત્તે પંચમહાલ જિલ્લામાં કોરોના વેક્સિનેશન મહાઅભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે, જે અંતર્ગત જિલ્લામાં એક જ દિવસમાં 1,48,500 જેટલાં લોકોને કોરોનાની રસી આપી સુરક્ષા પ્રદાન કરવામાં આવશે તેમ પંચમહાલ જિલ્લા વિકાસ અધિકારીશ્રી અર્જુનસિંહ બી. રાઠોડે જણાવ્યું હતું. તેમણે ઉમેર્યું હતું કે કલેક્ટરશ્રી સુજલ મયાત્રાના માર્ગદર્શન હેઠળ જિલ્લાના નાગરિકોને કોરોના સામે સુરક્ષિત કરવા માટે વેકસીનેશનની કામગીરી અસરકારક રીતે ચાલી રહી છે તેમ જ આવતીકાલે યોજાનાર કાર્યક્રમોમાં ૧૦૦ ટકા વેક્સિનેશન પૂર્ણ કરનાર ગ્રામ પંચાયતના સરપંચશ્રીઓને સન્માનિત કરવામાં આવશે. જિલ્લાના ૨૬૪ જેટલા ગામમાં ૧૦૦ ટકા વેક્સિનેશન પૂર્ણ કરવામાં આવ્યું છે અને આવતીકાલે ૧૨૫ જેટલા ગામમાં ૧૦૦ ટકા રસીકરણ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ માટે આરોગ્ય વિભાગ દ્વારા ૫૫૦ જેટલી ટીમોની રચના કરવામાં આવી છે, જેમાં ૮૪ જેટલા મોબાઈલ યુનિટ પણ સામેલ છે. આ નિમિત્તે જિલ્લાના તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, અર્બન હેલ્થ સેન્ટર, સામુહિક આરોગ્ય કેન્દ્ર તથા જનરલ હોસ્પિટલ ખાતે કોવિડ વેક્સિનેશનના સેશન રાખવામાં આવેલ છે. આ ઉપરાંત રેલ્વે સ્ટેશન અને તમામ બસ સ્ટેશન ઉપર પણ રસી મૂકવાની વ્યવસ્થા કરવામાં આવશે. લોકોની જાગૃતિ અને આરોગ્ય કર્મીઓની સઘન મહેનતથી જિલ્લાના ૯.૪૬ લાખથી વધુને કોરોના પ્રતિરોધક રસીનો પ્રથમ ડોઝ આપી દેવાયો છે જ્યારે ૩.૫૭ લાખ જેટલા લોકોને રસીનો બીજો ડોઝ પણ આપી દેવાયો છે. આ મેગા ડ્રાઈવ અંતર્ગત કરવામાં આવેલ રસીકરણના આંકડાઓ દર બે કલાકે લઇ ઇલેક્શન પધ્ધતિ પ્રમાણે વેક્શીનેશન ડ્રાઇવ કરવામાં આવશે. જિલ્લા કલેક્ટરશ્રી સુજલ મયાત્રા અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી અર્જુનસિંહ રાઠોડે કોરોના વાયરસની સંપૂર્ણ નાબૂદી માટે રસીકરણ જ એકમાત્ર આખરી ઇલાજ છે ત્યારે પંચમહાલ જિલ્લાના ૧૮ વર્ષથી ઉપરના તમામ નાગરિકો કે જેમણે રસીનો પ્રથમ ડોઝ લેવાનો બાકી છે અથવા જેમણે વેક્સીનનો પહેલો ડોઝ લીધો છે અને બીજો ડોઝ લેવાનો સમય થઇ ગયેલ છે તેવા તમામ નાગરિકોને આવતીકાલે મેગા ડ્રાઈવ અંતર્ગત રસીનો ડોઝ નિયમ અનુસાર લઈ લેવાની અપીલ કરી છે. આ ઉપરાંત, રાજ્ય સરકાર દ્વારા જિલ્લાના સ્લમ વિસ્તારમાં મંજૂર કરાયેલ દિનદયાળ કલીનીક પણ વડાપ્રધાનશ્રીના જન્મદિનના શુભ અવસરે શરૂ કરવામાં આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here