હાલોલ,(પંચમહાલ) ઇમરાન ખાન :-
સામાજીક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ, આર્થિક રીતે પછાત વર્ગ તેમજ વિચરતી-વિમુકત જાતિના બાળકો માટે વિનામુલ્યે અભ્યાસ અને નિવાસની સુવિધા માટે સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ, નિયામકશ્રી વિકસતી જાતિ કલ્યાણ ખાતા હસ્તકની આદર્શ નિવાસી શાળા (વિ.જા) હાલોલ નો લોકાપર્ણ સમારોહ તા.૨૬/૦૮/૨૦૨૧ ને ગુરૂવારના રોજ સવારે ૧૧.૦૦ કલાકે સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રીશ્રી ઇશ્વરભાઇ પરમારના વરદ હસ્તે અને સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગોનું કલ્યાણ, પ્રવાસનના રાજયકક્ષાના મંત્રીશ્રી વાસણભાઇ આહીર તેમજ કૃષિ,પંચાયત, પર્યાવરણ(સ્વતંત્ર હવાલો) રાજયકક્ષાના મંત્રીશ્રી જયદ્રથસિંહ પરમારની વિશેષ ઉપસ્થિતમાં તથા મુખ્ય મહેમાન પંચમહાલ સાંસદશ્રી રતનસિંહ રાઠોડ,છોટાઉદેપુર સાંસદશ્રીમતિ ગીતાબેન રાઠવા અને અતિથિ વિશેષ ધારાસભ્ય સર્વશ્રીઓ ગોધરા, શ્રી સી.કે.રાઉલજી, કાલોલ, શ્રીમતિ સુમનબેન ચૌહાણ, શહેરા, શ્રી જેઠાભાઇ આહિર, મોરવા(હ), નિમિષબેન સુથાર તેમજ પંચમહાલ જિલ્લા પંચાયત પ્રમુખશ્રી કામીનીબેન સોલંકી, હાલોલ નગરપાલીકા પ્રમુખશ્રીમતિ વિભાક્ષીબેન દેસાઇ, હાલોલ તાલુકા પંચાયત પ્રમુખશ્રી મહેન્દ્રસિંહ ચાવડાની ઉપસ્થિતમાં યોજાશે.