અરવલ્લી જિલ્લાના શામળાજીના મેળામાં કેન્દ્ર સરકાર દ્વારા આયોજિત મતદાર જાગૃતિ અભિયાનને મળી રહ્યો છે ભવ્ય પ્રતિસાદ

શામળાજી, (અરવલ્લી) વસીમ શેખ :-

લોકશાહી નો સૌથી મોટો અવસર અને ખાસ ગુજરાત વિધાનસભા 2022 ની ચૂંટણી ને અનુલક્ષી ને ભારત સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલયના કેન્દ્રીય સંચાર બ્યુરો , ક્ષેત્રીય કાર્યાલય, પાલનપુર ગુજરાત દ્વારા પ્રસિદ્ધ શામળાજી મેળા માં આયોજિત મતદાર જાગૃતિ કાર્યક્રમ પાંચ દિવસીય ફોટો પ્રદર્શન તેમજ લોકસંપર્ક કાર્યક્રમ માં મેળા માં આવતા શ્રદ્ધાળુઓ ને મનોરંજન સાથે માહિતી તેમજ માર્ગદર્શન પૂરું પાડવામાં આવી રહ્યું છે આ પ્રસંગે વિવિધ મતદાન જાગૃતિ પ્રવુતિઓ ને બહોળો પ્રતિસાદ મળી રહ્યો છે.

માનનીય જિલ્લા કલેકટર શ્રી દ્વારા આ કાર્યક્રમ ને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો, મતદાર જાગૃતિ માટે આયોજિત આ કાર્યક્રમમાં છેલ્લા બે દિવસથી કેન્દ્રીય સંચાર બ્યુરો પાલનપુર દ્વારા વિવિધ લોકજાગૃતિ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવી રહ્યું છે જેમાં મેળામાં આવતા શ્રદ્ધાળુઓ માટે કાર્યક્રમ સ્થળના મંચ પરથી વિવિધ સ્પર્ધા નું આયોજન કરી ઇનામ વિતરણ, મતદાતા શપથ, મતદાર જાગૃતિ નો સંદેશો આપતા વિવિધ માહિતીસભર સાહિત્ય નું વિતરણ, નિષ્ણાત તજજ્ઞોનું ઉદબોદન સાથે જ મનોરંજક નાટકો તેમજ કાર્યક્રમ માં આવતા દર્શકો ના પ્રતિભાવો પણ લેવામાં આવે છે.
વિશેષ માં આ વખતે ગુજરાત વિધાનસભા 2022 ની ચૂંટણીમાં વધારેમાં વધારે મતદારો પોતાની ભાગીદારી નોંધાવે એ માટે મુખ્ય ચૂંટણી અધિકારી ગુજરાત દ્વારા લોકશાહીનો અવસર અભિયાન શરૂ કરવામાં આવ્યું છે જેમાં ખાસ આ વખતે પ્રથમવાર મતદાન કરતા નવયુવાન ઉત્સાહ સાથે ચૂંટણીમાં ભાગીદાર બની મોટા પાયે મતદાન કરે એ માટે મતદાતા જાગૃતિ અભિયાન ખૂબ જ બહોળા પ્રમાણમાં આયોજનબદ્ધ રીતે ચલાવવામાં આવી રહ્યું છે જેના ભાગરૂપે વિશ્વપ્રસિદ્ધ શામળાજી મંદિર ખાતે કેન્દ્રીય સંચાર બ્યુરો પાલનપુર દ્વારા પાંચ દિવસીય ફોટો પ્રદર્શન તેમજ વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા આયોજિત આ કાર્યક્રમ દ્વારા મોટી સંખ્યામાં મતદારોને જાગૃત કરવાનું તેમજ લોકશાહી ના આ અવસર માં કોઈ પણ મતદાતા પોતાનો કિંમતી મત આપવાથી ચૂકી ના જાય એના માટે સફળ પ્રયાસ કરી રહ્યું છે.

આ પ્રસંગે કેન્દ્રીય સંચાર બ્યુરો પાલનપુર દ્વારા મતદાર જાગૃતિ અભિયાન અંતર્ગત પ્રચાર ના ભાગરૂપે શામળાજી તેમજ આજુબાજુના વિસ્તારોમાં ઉપસ્થિત વિવિધ શૈક્ષણિક સંસ્થાઓ , ગ્રામ્ય વિસ્તારોમાં મતદાર જાગૃતિ અંગે વિવિધ પ્રવુતિઓ દ્વારા આ અભિયાન ચલાવવા માં આવી રહ્યું છે.

આ પ્રસંગે અરવલ્લી જીલ્લા વહીવટી તંત્ર તેમજ માહિતી અને પ્રસારણ મંત્રાલય દ્વારા આગામી દિવસોમાં અને ખાસ કરીને શામળાજી ના મેળામાં આવતી જાહેર જનતા આ ફોટો પ્રદર્શન અને કાર્યક્રમો ને નિહાળે એ માટે વિશેષ અપીલ કરવામાં આવી રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here