ગાંધીધામ, આરીફ દીવાન (મોરબી) :-
ગાંધીધામ :સૌરાષ્ટ્ર / કચ્છ મેઘવાળ સમાજ દ્વારા તાજેતરમાં જેમને પદ્મશ્રી એવોર્ડ થી મહાં માહિમ રાષ્ટ્ર પતિ દ્વારા સન્માનિત કર્યા છે તેવા સ્વર સમ્રાટ હેમંત ચૌહાણનું રાજકોટના મણિયાર સભાખંડ મઘ્યે વિવિધ સંસ્થાઓ અને સામાજિક આગેવાનો દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું .
‘ હેતે હરખે વધાવીએ હેમંતને ‘ શીર્ષક હેઠળ નાં આ કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને માજી આરોગ્ય મંત્રી શ્રી દિનેશભાઈ પરમાર, અતિથિઓ માજી ધારાસભ્ય સિદ્ધાર્થભાઈ પરમાર, માજી ધારસભ્ય વાલજીભાઈ દનીચા અને અન્ય આગેવાનો ની વિશેષ ઉપસ્થિતિમાં કચ્છમાંથી દાનાભાઈ બડગા, માવજીભાઈ મહેશ્વરી ,માનવતા ગ્રુપના પ્રમુખ ગોવિંદભાઈ દનીચા ,નારણભાઈ મહેશ્વરી વગેરે એ કચ્છી સાલ, પાઘડી અને મોમેન્ટો આપી સન્માનિત કર્યા હતા સાથે સાથે માત્ર ગુજરાત નહીં દેશ-વિદેશમાં પોતાના મધુર સ્વર વડે વતન, દેશ અને સમાજનું નામ રોશન કરવા બદલ હૃદય થી અભિનંદન પાઠવ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું આયોજન રાજકોટ મહાનગર પાલિકા નાં માજી વિપક્ષી નેતા વશરામભાઇ સાગઠીયા અને તેમની સમિતિએ એ કર્યું હતું.