રાજપીપળા,(નર્મદા) આશિક પઠાણ :-
નર્મદા સહિત છોટા ઉદેપુર, પંચમહાલ, વડોદરા, મહીસાગર જિલ્લાઓની બેઠકો વડોદરા ખાતે યોજાઈ
રાજ્ય વિધાનસભાની ચૂંટણીઓ આગામી સમયમાં યોજાનારી છે તયારે પોતાનાં કાર્યકરો અને સંગઠન માં પ્રાણ પૂરવા પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા ગતરોજ તા 24-12-2021 ના વડોદરા મુકામે જિલ્લા વાઇસ ચિંતન બેઠક રાખવામાં આવી હતી, જેમાં નર્મદા, મહીસાગર, છોટા ઉદેપુર, વડોદરા અને પંચમહાલ જિલ્લા ના આગેવાનો હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.
ચિંતન બેઠક મા ઉપસ્થિત કાર્યકરો ને પ્રદેશ કોંગ્રેસ પ્રભારી રઘુ શર્માજી ,ગુજરાત પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર , વિધાનસભા વિરોધ પક્ષ નેતા સુખરામ રાઠવા , કાર્યકારી પ્રદેશ પ્રમુખ હાર્દિકભાઈ પટેલ, ગુજરાત પ્રદેશ પૂર્વ પ્રમુખ સિદ્ધાર્થ પટેલ , રાજ્યસભા સાંસદ માનનીય નારણભાઈ રાઠવા ઉપસ્થિત રહ્યા અને અને માગૅદશૅન પુરુ પાડ્યું હતું.
ચિંતન બેઠક મા કોંગ્રેસ પક્ષ ની કામગીરી , સંગઠન ને લગતી ચર્ચા , આગામી ચૂંટણી ને લઈને ચર્ચા જેવા બીજા અન્ય વિષયો પર ચર્ચા કરવામાં આવી હતી.
નર્મદા જીલ્લા ના પ્રતિનિધિઓ માં નાંદોદ ધારાસભ્ય પી.ડી વસાવા , ગુજરાત પ્રદેશ કોંગ્રેસ મંત્રી હરેશભાઈ વસાવા ,ગુજરાત પ્રદેશ માઈનોરીટી કાર્યકારી પ્રમુખ ઇમ્તિયાજભાઈ કાદરી ડેડીયાપાડા ના માજી ધારાસભ્ય અમરસિંહ વસાવા , નર્મદા જિલ્લા પ્રમુખ હરેન્દ્રભાઈ વાળંદ નર્મદા જિલ્લા ઉપપ્રમુખ જયંતીભાઈ વસાવા નર્મદાજિલ્લા પ્રભારી અરવિંદ દોરાવાલા તથા માનસિંગભાઈ ડોડીયા , રાજપીપળા શહેર કોંગ્રેસ પ્રમુખ માલવ બારોટ સહિત તમામ સેલના હોદેદારો મોટી સંખ્યા માં હાજર રહ્યા હતા, અને ચિંતન બેઠક માં આગામી ચૂંટણીઓ માં કઇ રીતે સંગઠન ને મજબુત કરી લોકોપયોગી સેવા ના કાર્યો કરવા કાઁગ્રેસ પાર્ટી ને મજબુત બનાવી રાજ્ય માં સત્તા પ્રાપ્ત કરવા ની ચર્ચા હાથ ધરવામાં આવી હતી.