રાજપીપળા,(નર્મદા) આશિક પઠાણ :-
તિલકવાળા ખાતે ફરજ દરમિયાન એક્સિડન્ટ થતાં મૃત્યુ પામેલ જી.આર.ડી જવાનના પરિવાર ને રૂપિયા 5 લાખ ની સહાય
નર્મદા જિલ્લાના તિલકવાડા ખાતે ફરજ દરમિયાન અકસ્માતમાં મૃત્યુ પામેલા જી. આર. ડી . જવાન ના નિરાધાર પરિવારને રૂપિયા 5 લાખની સહાય કરી નર્મદા જિલ્લા પોલીસ વડા હિમકર સિંહ એ પ્રશંશનીય કામગીરી કરી માનવતા ની મહેક મહેકાવી હતી.
અકસ્માત માં મૃત્યુ પામેલ જી.આર.ડી ગણપત મણિલાલ નો પરિવાર નિરાધાર બન્યો હતો ત્યારે નર્મદા જિલ્લા પોલીસ વડા હિમકરસિંહ દ્વારા પત્ની કૈલાશબેન ને રૂપિયા પાંચ લાખનો ચેક આપી સહાય કરી માનવતા ની મહેક મહેકાવી હતી. જેની સમગ્ર પોલીસ બેડા સહીત જી. આર.ડી. જવાનો માં પ્રસંશા થયી હતી. નિરાધાર બનેલ પરિવારે જિલ્લા પોલીસ વડા હિમકરસિંહ તેમજ પી.એસ. આઈ કે.કે. પાઠક પોલીસ પરિવાર નો આભાર વ્યક્ત કર્યો હતો.