શહેરા, (પંચમહાલ) ઇમરાન પઠાણ :-
સ્વચ્છતા હી સેવાના સંદેશ સાથે એક કલાક સાથે એક કલાક સ્વચ્છતા શ્રમદાન અંતગર્ત શહેરા તાલુકામા કાર્યક્રમ યોજાયો હતો,જેમા શહેરા તાલુકાના પાલીંખંડા ગામે આવેલા મરડેશ્વર મહાદેવમાં મદિરના પ્રાગણમા સફાઈ અભિયાનની શરુઆત કરવામા આવી હતી.
સ્વચ્છતા હી સેવાના સંદેશ સાથે એક કલાક સાથે એક કલાક સ્વચ્છતા શ્રમદાન અંતગર્ત શહેરા તાલુકામા કાર્યક્રમ યોજાયો હતો,જેમા શહેરા તાલુકાના પાલીંખંડા ગામે આવેલા મરડેશ્વર મહાદેવમાં મદિરના પ્રાગણમા સફાઈ અભિયાન કાર્યક્મ યોજાયો હતો. આ કાર્યક્મના મુખ્ય મહેમાન તરીકે શહેરાના ધારાસભ્ય અને વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠાભાઈ ભરવાડ ઉપસ્થિત રહ્યા હતા.તેમને મંદિરના પ્રાગણમા જાતે ઝાડુ લઈને સાફસફાઈ કરી હતી.આ સફાઈ અભિયાનમા શહેરા મામલતદાર, શહેરા પ્રાન્ત અધિકારી જીલ્લા વિકાસ અધિકારી સહિત નગરપાલિકાના અધિકારીઓ કર્મચારીઓ, તાલુકા પંચાયતના વિવિધ વિભાગના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. શહેરા તાલુકાના લાભી ખાતે આવેલા પ્રાથમિક શાળા ખાતે જઈને આયોજીત કાર્યક્રમમા જોડાઈને સાફસફાઈ કરી હતી.