શહેરા,(પંચમહાલ) ઇમરાન પઠાણ :-
ચાલુ વર્ષે એમ.એન.કોલેજ.વિસનગરના ૭૫ વર્ષ પૂર્ણ થતા અમૃત મહોત્સવ નિમિત્તે જાન્યુઆરી 2022માં સપ્તધારા અંતર્ગત વિસનગર કોલેજમાં વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં સમગ્ર ગુજરાતમાંથી અનેક વિદ્યાર્થીઓએ સ્પર્ધાઓમાં ભાગ લીધો હતો. સરકારી વિનયન કોલેજ શહેરાના સેમિસ્ટર ચારના અંગ્રેજી વિષયના વિદ્યાર્થી વિરેન્દ્ર બારીયાએ નિબંધ લેખન સ્પર્ધા માં ભાગ લીધો હતો. વિરેન્દ્રએ “વર્તમાન સમયમાં ભારતીય ટેકનોલોજીકલ ક્ષેત્રે પ્રગતિ” વિષય ઉપર નિબંધ લખ્યો હતો. જેનું આજે પરિણામ જાહેર થતાં વિરેન્દ્ર બારીયાને પ્રથમ ક્રમનો રૂપિયા ૧૦ હજારનો રોકડ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે. રાજ્યકક્ષાની આ નિબંધ સ્પર્ધામાં પ્રથમ ક્રમનો પુરસ્કાર પ્રાપ્ત કરવા બદલ વિરેન્દ્ર બારીયાએ શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી તેમજ સરકારી વિનયન કોલેજ શહેરાનું ગૌરવ વધાર્યું છે. કોલેજ પરિવાર તરફથી વિરેન્દ્ર બારીયાને અભિનંદન પાઠવામા આવી રહ્યા છે.