શેઠ પી.ટી આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ ગોધરા ઇતિહાસ વિભાગના વિદ્યાર્થીઓનો વેલકમ સમારોહ યોજાયો

ગોધરા, (પંચમહાલ) તુષાર ચૌહાણ :-

શેઠ પી.ટી આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ ગોધરા ઇતિહાસ વિભાગના વિદ્યાર્થીઓનો વેલકમ સમારોહ યોજાયો હતો આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના VC પ્રો.પ્રતાપસિંહજી ચૌહાણ સાહેબ ઉપસ્થિત રહ્યા હતા, આ ઉપરાંત સંસ્થાના પ્રિન્સિપાલ ડો.એમ. બી. પટેલ સાહેબ નિવૃત્ત આચાર્ય બી.એન. ગાંધી, ડો.ધર્મિષ્ઠાબેન મોદી, ડો. જી. વી. જોગરાણા તેમજ કોલેજ પરિવારે ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને આશીર્વાદ આપ્યા હતા, કાર્યક્રમમાં આશરે 700 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લઈ સ્વરુચિ ભોજન તેમજ ડીજે ના તાલે ગરબા રમી આનંદ વ્યક્ત કર્યો હતો કાર્યક્રમનું સફળ આયોજન વિભાગ અધ્યક્ષ ડો. સુરેશભાઈ ચૌધરી, રેણુકાબેન પટેલ, વસંત વાળા, સાહિલ બારીયા તેમજ તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું , ઉપસ્થિત મહાનુભવોએ કોલેજ પરિવાર તેમજ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here