શહેરા : પંચમહાલ જિલ્લા લોકજનશક્તિના ઉપપ્રમુખ યોગેશસિંહ પરમાર ભાજપમાં જોડાયા

શહેરા, (પંચમહાલ) ઇમરાન પઠાણ :-

પંચમહાલ જીલ્લા લોકજનક્તિના યુવા કાર્યકર અને જીલ્લા ઉપપ્રમુખનો હોદ્દો સંભાળતા યોગેશકુમાર આરતસિંહ પરમારએ પાર્ટીમાંથી વિદાય લઈને વિધિવત ભાજપમા જોડાઈ ગયા છે.આરતસિંહ પરમારને શહેરાના ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડ દ્વારા કેસરીયો ખેસ પહેરાવીને સ્વાગત કરવામા આવ્યુ હતું.યોગેશભાઈનુ શહેરા ભાજપ દ્વારા પણ પાર્ટીમાં જોડાવા બદલ અભિનંદન પાઠવામા આવ્યા હતા.નદીસર વિસ્તારના પણ આમ આદમી પાર્ટીના કાર્યકરો ભાજપમા જોડાયા હતા.

નોંધનીય છે કે પંચમહાલ જીલ્લામાં વિધાનસભાની ચુટણીને લઈને રાજકીય પાર્ટીઓના કાર્યકરો અને અગ્રણીઓ પાર્ટીઓ બદલી રહ્યા છે,પાર્ટીઓમાં પોતાનુ માન સન્માન ન જળવાવુ અથવા પાર્ટીમાં પોતાની વાતને સાંભળવામા ન આવતી હોવાથી અગ્રણીઓ પાર્ટીઓ બદલી રહ્યા છે તેમ કહેવામા આવે તો પણ સહેજ અતિશયોક્તિ નથી,

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here