શહેરા,(પંચમહાલ)
ઈમરાન પઠાણ
શહેરા નગરમાં અંબાજી જતા પગપાળા યાત્રીઓ માટે અન્નપૂર્ણા વિસામો 19 વર્ષથી કરવામાં આવે છે
આ વર્ષે કોરોના વાયરસને ધ્યાન રાખી સરકારના આદેશ મુજબ અન્નાપૂર્ણા વિસામો બંધ રાખવાનો નિર્ણય લેવાયો
પંચમહાલ જિલ્લાના શહેરા નગરની લખારા સોસાયટી ખાતે છેલ્લા ૧૯ વર્ષથી અન્નાપૂર્ણા વિસામા દ્વારા અંબાજી જતા પદયાત્રીઓ માટે વિવિધ પ્રકારની સેવા પૂરી પાડવામાં આવે છે, પરંતુ ચાલુ વર્ષે દેશભરમાં ચાલી રહેલ કોરોના મહામારીને ધ્યાને સરકારના આદેશ અનુસાર આયોજકો દ્વારા અન્નાપૂર્ણા વિસામો બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.