શહેરા, (પંચમહાલ) નૈનેસ સોની :-
શહેરા તાલુકામાં ઈશ્રમ રજીસ્ટ્રેશન માટે ઝુંબેશ હાથ ધરવામા આવી છે,જેના પગલે શહેરા તાલુકાના વલ્લભપુર ખાતે આવેલા ગ્રામ પંચાયત ખાતે ઈશ્રમ રજીસ્ટ્રેશન માટે ખાસ એક લોકજાગૃતિ કાર્યક્રમ રાખવામા આવ્યો હતો. સરપંચ શ્રી ગણપતભાઈ માછી ના અધ્યક્ષ સ્થાને યોજાયેલા આ કાર્યક્રમમાં આંગણવાડી કાર્યકર બહેનો આશા વર્કર બહેનો પ્રાથમિક શાળાના આચાર્યશ્રીઓ મધ્યાન ભોજન ના સંચાલક પંડિત દિન દયાળ ગ્રાહક ભંડારના સંચાલક, તલાટી કમમંત્રી દૂધ ડેરીના સભ્યઓ તેમજ ગ્રામ પંચાયતના અન્ય સભ્યો સાથે તમામ કર્મચારીઓને હાજર રહ્યા હતા.આ શિબિર દરમિયાન પ્રથમ બે ઈશ્રમ કાર્ડ બનાવવામાં આવ્યા જે સરપંચશ્રીના વરદ હસ્તે તેમ જ તાલુકા વિકાસ અધિકારી રણજીતસિંહ માટીએડાના હસ્તે આપવામા આવ્યા હતા. શિબિરના અંતે કુલ્લે 18 લાભાર્થીઓએ ઈશ્રમકાર્ડ પોતાના બનાવ્યા હતા અને વીસીઈ મારફતે તૈયાર કરીને આપવામાં આવ્યા હતા.