શહેરા,(પંચમહાલ) ઇમરાન પઠાણ :-
પંચમહાલ જીલ્લાના શહેરા તાલુકાના ખાંડીયા ગામના વતની દલપતસિંહ નાનૂસિંહ ચાવડા પોતે યુવાવસ્થા થી જ દેશદાઝ ધરાવતા હોય દેશસેવા માટે જોડાયા હતા.મધ્યપ્રદેશ 22 મહાર રેજીમેન્ટ આર્મીમા ચાલુ ફરજ દરમિયાન હૃદય હુમલો થતા તેમનૂ મોત થયુ હતૂ. થોડા સમય પહેલા જ તેમને પ્રમોશન મળ્યું હતું. મોતના પગલે
ખાંડીયા ગામમા શોકની લાગણી વ્યાપી ગઈ હતી.તેમના પાર્થીવદેહને માદરે વતન લાવતા તેમના પરિવારજનોમાં ભારે શોકની લાગણી છવાઈ ગઈ હતી.ગ્રામજનોનીની આંખમાં પણ આસુઓ વહેતા નજરે પડ્યા હતા.પુરા સન્માન સાથે તેમની અંતિમયાત્રા નીકળી હતી.જ્યા તેમને લશ્કરી ઓફીસરો,જવાનો દ્વારા ગાર્ડ ઓફ ઓનર આપવામા આવ્યુ હતૂ. અને અંતિમ સંસ્કાર કરવામા આવતા તેમનો પાર્થિવદેહ પંચમહાભુતમાં વિલીન થયો હતો.