શહેરા ખાતે આગામી ૧૩ ફેબ્રુઆરીના રોજ એન.એફ.એસ.એમ.(ન્યુટ્રીસીરીયલ્સ)અને એજીઆર-૩ યોજના હેઠળ કૃષિમેળાનું આયોજન કરાશે

શહેરા, (પંચમહાલ) ઇમરાન પઠાણ :-

પંચમહાલ જિલ્લાના શહેરા સ્થિત કેશવ ગ્રાઉન્ડ,અણીયાદ ચોકડી ખાતે આગામી તા.૧૩ ફેબ્રુઆરીના રોજ સવારે ૯.૩૦ કલાકે વિધાનસભાના ઉપાધ્યક્ષશ્રી જેઠાભાઈ ભરવાડની અધ્યક્ષતામાં એન.એફ.એસ.એમ. (ન્યુટ્રીસીરીયલ્સ) અને એજીઆર–૩ યોજના હેઠળ કૃષિમેળાનું આયોજન કરાશે.જેમાં મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહેશે. વર્ષ ૨૦૧૮-૧૯ થી ભારત સરકારશ્રી દ્વારા ન્યુટ્રી સીરીયલ (જુવાર, બાજરી અને રાગી પાકનો) સમાવેશ કરાયો હતો, જે અંતર્ગત આ પાકોમાં વાવેતર વિસ્તાર અને ઉત્પાદનમાં વધારો કરવા વિવિધ પ્રયાસો થઈ રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here