ગોધરા, (પંચમહાલ) ડૉ.સતીષ નાગર :-
રોટરી ક્લબ અને રેલવે હોસ્પિટલ ગોધરા નાં સયુંકત ઉપક્રમે હોસ્પિટલ કેમ્પસ માં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજવામાં આવ્યો.સમગ્ર કાર્યક્રમ શરૂઆત પ્રાથના દ્વારા કરવામાં આવી હતી.આ કાર્યક્રમ માં રોટરી કલબ ચેરમેન, શ્રી ડૉ રમાકાંત પંડ્યા ,સચિવ ,ડૉ સતીશ નાગર ખજાનચી , ભવાની ભાઈ ત્રિપાઠી અને જયદીપ સોની રેલવે હોસ્પિટલ ગોધરા ના માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમ યોજાયો.જેમાં 80 થી વધુ વૃક્ષો રોપવામાં આવ્યા તેમજ બહોળી સંખ્યામાં દાઢમ વૃક્ષો રોપી ને વાટિકા નો શુભારંભ કરાવ્યો હતો.આ પ્રોગ્રામ નો મુખ્ય હેતુ આજના ચાલી રહેલા વધતા તાપમાન ગ્લોબલ વોર્મિંગ ની વધતી ખરાબ અસર અને અને વેશ્વિક તાપમાન નિયંત્રણ માટે વૃક્ષારોપણ નો કાર્યકમ યોજાયો હતો.જેમાં બહોળી સંખ્યામાં રોટરિયન અને રેલવે હોસ્પિટલ નો સ્ટાફ ઉપસ્થિત હતો.જેમાં મુખ્ય શ્રી એ સી બારીયા ,શ્રી જોગિન્દ્ર કાલરા ,શ્રી ઉદય વેન્દાંતી, શ્રીમતી કાલિંદી વેદાંતી ,ડૉ શ્યામ સુંદર શર્મા ,ડૉ વિપુલ પટેલ ,ડૉ જૈમિની શાસ્ત્રી અને શ્રી નરેશ સેવાની હતા.
સમગ્ર કાર્યક્રમ નું સયોજન રોટરિયન શ્રી પ્રકાશ ભાઈ દીક્ષિત દ્વારા કરવામાં આવ્યું હતુ.ઉપરાંત 4 તારીખે પણ નારી કેન્દ્ર ખાતે આ વૃક્ષારોપણ કાર્યક્રમ યોજવામાં આવશે અંતે અલ્પાહાર લઈને છુટા પડ્યા હતા.