રાજપીપળા ખાતે ભારતિય જનતા પાર્ટીના કાર્યકરો માટે રાષ્ટ્રિય પ્રશિક્ષણ વર્ગની કાર્યક્ર્મ યોજાયો

રાજપીપળા,(નર્મદા) આશિક પઠાણ :-

માજી વન મંત્રી મોતીસિંગ વસાવા અને મહિલા અગ્રણી ભારતીબેન તડવી એ કાર્યકરો ને રાષ્ટ્રિય એકતા અને રાષ્ટ્ર સેવા માટે આગળ આવવા ઉદબોથન કર્યુ

આજરોજ ભારતીય જનતા પાર્ટી નર્મદા જિલ્લા દ્વારા આયોજિત નાંદોદ તાલુકા મંડલનો રાષ્ટ્રીય પ્રશિક્ષણ વર્ગ સમાપન સત્ર નો કાર્યક્ર્મ રાજપીપળા ખાતે યોજાયો હતો. જેમાં વક્તા તરીકે ગુજરાત પ્રદેશ આદિવાસી મોરચાના પૂર્વ અધ્યક્ષ અને ડેડીયાપાડા વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય અને માજી વન મંત્રી મોતીસિંગ વસાવા અને પ્રશિક્ષણ વર્ગના અધ્યશ શ્રીમતી ભારતીબેન તડવી વિશેષ ઉપસ્થિત રહયા હતા. અને ભાજપા કાર્યકરો ને રાષ્ટ્રિય એકતા સહિત સંગઠન ને મજબુત કરવા તેમજ દેશ સેવા કરવા સહુને તત્પર રેહવા જણાવ્યું હતું.

આ પ્રસંગે જિલ્લાના તથા તાલુકાના પાર્ટીના પદાધિકારીઓ, હોદ્દેદારો, તથા કાર્યકર્તાઓ મોટી સંખ્યા માં હાજર રહયા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here