રાજકોટ : વાંકાનેરમાં સ્ટવમાં ભડકો થતાં પતિ અને પત્નિ બને દાઝ્યા…

રાજકોટ,
વિનુભાઈ ખેરાળીયા

રાજકોટ તા. ૨/૬/૨૦૨૦ ના રોજ રાજકોટના વાંકાનેરના આરોગ્ય નગરમાં ગાયત્રી મંદિર પાસે રહેતો કોળી યુવાન ભાવેશ મનુભાઇ ઉધરેજા (ઉ.વ.૩૧) અને તેની પત્નિ સંગીતા (ઉ.૨૮) ઘરે સાંજે દાઝી જતાં સારવાર માટે વાંકાનેર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા,અને ત્યાંથી રાજકોટ સિવિલમાં ખસેડાયા છે.
હોસ્પિટલ ચોકીના સ્ટાફે આ અંગે વાંકાનેર પોલીસને જાણ કરી હતી. અને જ્યારે સંગીતાબેનના કહેવા મુજબ સાંજે પોતે રસોઇ બનાવતી હતી ત્યારે સ્ટવમાં કેરોસીન પુરવા જતાં ડબલાનું ઢાંકણું ખુલ્લુ હોઇ ઉપરથી ઉતારતી વખતે કેરોસીન ઢોળાઇ ગયુ હતું.આ વખતે જ પતિ ભાવેશે ધૂપ દિવા કરીને દિવાસળી ફેંકતા કેરોસીન ઢોળાયેલુ હોવાથી સીધો ભડકો થયો હતો અને અમે બંને દાઝી ગયા હતાં.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here