ધોરાજી, (રાજકોટ) રાજુભાઇ બગડા :-
મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલનાં વરદ હસ્તે રાજકોટ જિલ્લાના ધોરાજી ખાતે નવનિર્મિત મહેસૂલ સેવા સદન તથા જેતપુર ખાતે નવનિર્મિત પોલીસ આવાસોનું આવતી કાલે તા ૨૫-૦૨-૨૦૧૩, શનિવારે સાંજે ૪:૦૦ ક્લાકે ઇ લોકાર્પણ કરવામાં આવનાર છે. જેમાં જળ સંપતિ અને પાણી પુરવઠા મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયા, સામાજીક ન્યાય અને અધિકારીતા મંત્રીશ્રી ભાનુબેન બાબરીયા, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી ભુપતભાઇ બોદર, સાંસદશ્રી મોહનભાઇ કુંડારીયા, શ્રી રામભાઇ મોકરીયા, શ્રી રમેશભાઇ ધડુક અતિથી વિશેષ તરીકે ઉપસ્થિત રહેશે.
આ તકે ધારાસભ્યો સર્વેશ્રી જયેશભાઈ રાદડીયા, શ્રી મહેન્દ્રભાઈ પાડલિયા, શ્રીમતી ગીતાબા જાડેજા, શ્રી રમેશભાઈ ટીલાળા, શ્રી ઉદયભાઈ કાનગડ, ડો. દર્શિતાબેન શાહ, શ્રી જીતુભાઈ સોમાણી, શ્રી દુર્લભજીભાઈ દેથરીયા, શ્રી શામજીભાઈ ચૌહાણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે…