ભારતના ઉપરાષ્ટ્રપતિ જગદિપ ધનખડનું SOU-એકતાનગર હેલીપેડ ખાતે ઉષ્માભર્યું સ્વાગત

એકતા નગર, (નર્મદા) આશિક પઠાણ :-

સ્ટેચ્યુ ઓફ યુનિટી સહિત સરદાર સરોવર નર્મદા ડેમ અને આરોગ્ય વન ની મુલાકાત લીધી

ભારતના ઉપરાષ્ટ્રપતિ જગદિપ ધનખડ તેમની ગુજરાતની મુલાકાત દરમિયાન આજે તેમના નર્મદા જિલ્લાના ગરૂડેશ્વર તાલુકાના સ્ટેચ્યુ ઓફ યુનિટી-એકતાનગરના પ્રવાસના ભાગરૂપે એકતાનગર હેલીપેડ ખાતે આવી પહોંચ્યા હતા. ઉપરાષ્ટ્રપતિ ની સાથે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી તથા ગુજરાતના પ્રોટોકોલ વિભાગના રાજ્યમંત્રી જગદીશભાઈ વિશ્વકર્મા (પંચાલ) વગેરે મહાનુભાવો પણ આ પ્રવાસમાં જોડાયા હતા.

ભારતના ઉપરાષ્ટ્રપતિ જગદિપ ધનખડ એકતાનગર હેલીપેડ ખાતે આવી પહોંચતા ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી, ગુજરાતના પ્રોટોકોલ વિભાગના રાજ્યમંત્રી જગદીશભાઈ વિશ્વકર્મા (પંચાલ), જિલ્લા કલેકટર શ્રીમતી શ્વેતા તેવતિયા, જિલ્લા વિકાસ અધિકારી અંકીત પન્નુ, જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબે, જિલ્લાના અગ્રણી અને નર્મદા સુગર ફેક્ટરી તથા ભરૂચ દૂધધારા ડેરીના ચેરમેન ઘનશ્યામભાઇ પટેલ, પૂર્વ રાજ્યમંત્રી શબ્દશરણભાઇ તડવી વગેરેએ ઉપરાષ્ટ્રપતિ નુ ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. ત્યારબાદ ઉપરાષ્ટ્રપતિ સ્ટેચ્યુ ઓફ યુનિટી, સરદાર સરોવર ડેમ અને આરોગ્ય વનની મુલાકાત પણ લીધી હતી, સ્ટેચ્યુ ઓફ યુનિટી ની મુલાકાત લઈ ઉપરાષ્ટ્રતિ ભાવુકતા સાથે આનંદ વિભોર થયાં હતાં અને સરદાર પટેલ ની પ્રતિમા નિહાળી પુષ્પાંજલિ અર્પી હતી.અને એકત નગર સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે થી સુરત જવા માટે રવાના થયા હતાં.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here