બાગાયત ખેડૂતોએ સ્વરોજગારલક્ષી બાગાયતી નર્સરી વિકાસ કાર્યક્રમ યોજનાનો લાભ લેવા આઇ-ખેડૂત પોર્ટલ પર ઓનલાઇન અરજી કરવા બાબત

ગોધરા, (પંચમહાલ) ઈશહાક રાંટા :-

પંચમહાલ જિલ્લામા “સ્વરોજગાર લક્ષી બાગાયતી નર્સરી વિકાસ કાર્યક્રમ” યોજના હેઠળ જીલ્લાના બાગાયતી ખેડૂતો આઇ ખેડુત પોર્ટલ પર તારીખ:૨૦/૦૬/૨૦૨૩ થી ૧૯/૦૭/૨૦૨૩ સુધી ઓનલાઇન અરજી કરી શકશે.જેમાં પંચમહાલ જિલ્લાના બાગાયતી ખેતી કરતા સામાન્ય ખેડુતો, અનુસુચિત જન જાતી તથા અનુસૂચિત જાતીના ખેડુતોએ આઇ ખેડુત પોર્ટલ પર ઓનલાઇન અરજી નિયત સમય મર્યાદામાં કરવા જણાવવામાં આવે છે.સદર ઘટકમાં ઓછામાં ઓછા ૨૦૦ ચો.મી તથા વધુમાં વધુ ૫૦૦ ચો.મી વિસ્તારમાં નર્સરી બનાવવાની રહેશે. નર્સરીનું સ્ટ્રક્ચર એમ્પેનલ થયેલ કંપનીઓ દ્વારા બનાવવાનું રહેશે. લાભાર્થીદીઠ તેમજ ખાતાદીઠ આજીવન એક જ વાર કરેલ અરજી તથા સાધનિક કાગળો પ્રોજેક્ટ રિપોર્ટસહ નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી, જિલ્લા સેવાસદન -૨,બીજો માળ,રુમ નંબર ૯-૧૨, ગોધરા જિલ્લો પંચમહાલ ખાતે મોકલી આપવા નાયબ બાગાયત નિયામકશ્રી ગોધરાએ એક અખબારી યાદીમાં જણાવ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here