સિદ્ધપુર,(પાટણ) આશિષ કુમાર પાધ્યા :-
આ કાર્યક્રમમા પાટણના સાંસદ ભરતસિંહ ડાભી તેમજ અમદાવાદ પશ્ચિમ રેલવે ડિવિઝન મેનેજર તરૂણ જૈન ઉપસ્થિત રહ્યા હતા. સિદ્ધપુર રેલ્વે પ્રશાસનને લગતા પ્રશ્નો બાબતે સ્થાનિક આગેવાનો દ્વારા રજુઆત કરાઈ
સિદ્ધપુરમાં આજે રેલ્વે સ્ટેશન ખાતે નવીન બનેલ ટિકિટ બુકીંગ ઓફિસનું લોકાર્પણ પાટણના સાંસદ ભરતસિંહ ડાભીના હસ્તે કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે પશ્ચિમ રેલવે અમદાવાદ વિભાગના મેનેજર તરૂણકુમાર જૈન, સિદ્ધપુરના ધારાસભ્ય ચંદનજી ઠાકોર,નગર પાલિકા પ્રમુખ કૃપાબેન આચાર્ય સહિત પાલિકા સદસ્યો, કાર્યકર્તાઓ, શહેરના પ્રબુદ્ધ નાગરિકો હાજર રહ્યા હતાં.સિદ્ધપુરમા રેલ્વે ટ્રેનોના સ્ટોપેજ આપવા,બેઠક વ્યવસ્થા વધારવા,ફૂટ ઓવર બ્રિજ, જીઆરપીએફ ચોકી બનાવવા, કાકોસી અને બિન્દુ સરોવર અંડરપાસના પ્રશ્નો ના ઉકેલ માટે ધારદાર રજુઆત કરવામાં આવી. પ્રસંગે હાજર રહેલા સાંસદ ભરતસિંહ ડાભીએ રેલ્વેના પ્રશ્નો અંગે કેન્દ્ર સરકારને ધ્યાન દોરવા ખાતરી આપી હતી. ડી.આર.એમ.એ હરિદ્વાર મેલના સ્ટોપેજ માટેની મંજૂરી માટે મદદરૂપ બનવા આશ્વાસન આવ્યું હતું.