પંચમહાલ : મતદાન મથક પુનર્ગઠન અન્વયે કલેકટર કચેરી ખાતે માન્ય રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજાઇ

ગોધરા, (પંચમહાલ) ઈશહાક રાંટા :-

મતદાન મથક સુધારા વધારા બાબતે સલાહ સૂચનો મેળવવા હેતુ પંચમહાલ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને જિલ્લા કલેકટરશ્રી આશિષ કુમારની અધ્યક્ષતામાં માન્ય રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજાઇ હતી.
જેમાં સંબધિત વિધાનસભાના મતદાર નોંધણી અધિકારીશ્રીઓ હાજર રહ્યા હતા.આ બેઠકમાં મર્જ થતા મતદાન મથકો,નવા મતદાન મથકો,તથા જર્જરિત મતદાન મથકો બાબતે પણ ચર્ચા કરવામાં આવી હતી.
આ બેઠકમાં નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી, વિધાનસભાના મતદાર નોંધણી અધિકારીશ્રીઓ સહિત રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here