પંચમહાલ જિલ્લામાં ચૂંટણી સંબંધિત કોઇ રજૂઆત હોય તો નાગરિકો ચૂંટણી નિરીક્ષકશ્રીઓ સાથે ફોનથી અથવા રૂબરૂ સંપર્ક કરી શકશે

ગોધરા, (પંચમહાલ) ઇશહાક રાંટા :-

ભારતના ચૂંટણી પંચ,નવી દિલ્હી દ્વારા ૧૮-પંચમહાલ સંસદીય મતદાર વિભાગ માટે જનરલ,ખર્ચ અને પોલીસ નિરીક્ષકશ્રીઓની નિમણૂક કરાઈ

ભારતના ચૂંટણી પંચ,નવી દિલ્હી દ્વારા લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ની તા.૧૬/૦૩/૨૦૨૪ના રોજ જાહેરાત કરવામાં આવેલી છે. આ તારીખથી આદર્શ આચાર સંહિતા અમલમાં આવેલી છે. જે અંતર્ગત ૧૮-પંચમહાલ સંસદીય મતદાર વિભાગમાં સમાવિષ્ટ ૧૧૯-ઠાસરા, ૧૨૧-બાલાસીનોર, ૧૨૨-લુણાવાડા, ૧૨૪-શહેરા, ૧૨૫-મોરવા હડફ (અ.જ.જા), ૧૨૬-ગોધરા, તથા ૧૨૭-કાલોલ વિધાનસભા મતવિભાગોમાં તા.૦૭/૦૫/૨૦૨૪ના રોજ મતદાન યોજાનાર છે. લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અંતર્ગત ૧૮-પંચમહાલ મતદાર વિભાગમાં સમાવિષ્ટ તમામ વિધાનસભા મતવિસ્તારોમાં ચૂંટણી પ્રક્રિયા પર દેખરેખ રાખવા હેતુ ભારતના ચૂંટણી પંચ, નવી દિલ્હી દ્વારા ચૂંટણી નિરીક્ષકશ્રીઓ(Observer)ની નિમણૂંક કરવામાં આવી છે.

૧૮-પંચમહાલ સંસદીય મતદાર વિભાગ માટે જનરલ ઓબ્ઝર્વરશ્રી છોટે સીંગ (IAS)ને ગોધરા વિશ્રામ ગૃહના પાવાગઢ કક્ષમાં સવારે ૯.૦૦ થી ૧૦.૩૦ દરમિયાન નાગરિકો રૂબરૂ મળીને ચૂંટણી સબંધી રજૂઆતો કરી શકશે તેમજ તેમના મોબાઇલ નંબર ૮૧૬૦૪-૨૫૪૬૩ પર સંપર્ક કરી શકશે.

૧૮-પંચમહાલ સંસદીય મતદાર વિભાગ માટે ખર્ચ ઓબ્ઝર્વરશ્રી નેહા સહાય (IRS)ને ગોધરા વિશ્રામ ગૃહના ચાંપાનેર કક્ષમાં નાગરિકો રૂબરૂ મળીને ચૂંટણી સબંધી રજૂઆતો કરી શકશે તેમજ તેમના મોબાઇલ નંબર ૬૩૫૩૭-૧૯૬૯૫ પર સંપર્ક કરી શકશે.

૧૮-પંચમહાલ સંસદીય મતદાર વિભાગ માટે પોલીસ ઓબ્ઝર્વરશ્રી અંજનીકુમાર ઝા (IPS)ને ગોધરા વિશ્રામ ગૃહના કરાડ કક્ષમાં નાગરિકો રૂબરૂ મળીને ચૂંટણી સબંધી રજૂઆતો કરી શકશે તેમજ તેમના મોબાઇલ નંબર ૮૧૬૦૪-૬૦૮૮૨ પર સંપર્ક કરી શકશે.

પંચમહાલ જિલ્લાની જાહેર જનતા ચૂંટણી સંબંધિત કોઇ રજૂઆત હોય તો સંબંધિત ચૂંટણી નિરીક્ષકશ્રીઓ(Observer)ને ઉપર જણાવેલા મોબાઈલ નંબર અથવા રૂબરૂ સંપર્ક કરી શકશે, એમ નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી પંચમહાલ- ગોધરાએ એક અખબારી યાદીમાં જણાવ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here