પંચમહાલ જિલ્લામાં કોરોનાં નવા કેસોની સંખ્યા ઘટીને 01 થઈ, આજે કુલ 09 વ્યક્તિઓને રજા અપાઈ

ગોધરા,(પંચમહાલ) ઈશહાક રાંટા :-

પંચમહાલ જિલ્લામાં કોરોના સંક્રમણનાં નવા કેસની સંખ્યામાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. નવા મળતા કેસોની સંખ્યા આજે ઘટીને 01 થઈ ગઈ છે. શહેરી વિસ્તારોમાંથી આજે એક પણ નવો કેસ મળ્યો નથી. જ્યારે કુલ 09 વ્યક્તિઓને સાજા થવાનાં પરિણામે રજા આપવામાં આવી છે. ઘોઘંબા ગ્રામ્યમાંથી 01 કેસ મળી આવ્યો છે. યાદીમાં જણાવ્યા અનુસાર આજે 18થી વધુ વયની 2015 વ્યક્તિઓને કોવિડ-19 પ્રતિરોધક રસી આપવામાં આવી હતી. હાલમાં જિલ્લામાં કુલ 50 સક્રિય દર્દીઓ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here