રાજપીપળા,(નર્મદા) આશિક પઠાણ :-
દેડીયાપાડા તાલુકાના ગાજરગોટા અને તિલકવાડા તાલુકાના સુરજીપુરા ગામના યુવાનો ના અગમ્ય કારણોસર મોત થયા નું પોલીસ નું તારણ
નર્મદા જીલ્લા માં એક સાથે બે યુવાનો એ આત્મહત્યા કરી પોતાનું જીવન ટુંકાવ્યું હતુ યુવાનો ના અકાળે મોત નીપજતાં પરિજનો માં શોક ની લાગણી ફેલાઈ હતી.
પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર દેડીયાપાડા તાલુકાના ગાજરગોટા ગામ ખાતે રહેતા વિનોદ કાંતિભાઈ વસાવા ઉ. વર્ષ. ૨૦ ના ઓ એ પોતાના ઘર ની બાજુ માં આવેલ અન્ય ઘર માં જય ને કોઈ ઝેરી દવા ગટગટાવી લેતા પરિવાર જનો ને જન થતાં તેને સારવાર માટે દેડીયાપાડા સરકારી દવાખાના માં લઈ જવાયો હતો, ત્યાંથી રાજપીપળા સરકારી દવાખાના માં ખસેડાયો હતો.જ્યાં તેની તબિયત લથડતાં વધુ સારવાર અર્થે વડોદરા ના સિવિલ હોસ્પિટલ લઈ જવાયો હતો જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નીપજયું હતું.
જ્યારે બીજા બનાવ મા તિલકવાડા તાલુકાના સૂર્જીપુરા ગામ ખાતે રહેતા કિરણ દલસુખ ભીલ ઉ. વર્ષ. ૨૫ ના ઓ એ પણ પોતાના ઘર માં ઝેરી દવા ગટગટાવી લેતા તેને સારવાર માટે વડોદરા ના સિવિલ હોસ્પિટલ લઈ જવાયો હતો જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નીપજયું હતું.
પોલીસે મોત ના આ બન્ને મામલા માં અગમ્ય કારણોસર યુવાનો એ ઝેરી દવા ગટગટાવી આત્મહત્યા કરી હોવાનો ગુનો નોંધ્યો હતો.