રાજપીપળા, (નર્મદા) આશિક પઠાણ :-
અરજદારોના પ્રશ્નોને રૂબરૂ સાંભળી તેના ત્વરિત નિરાકરણ માટે અધિકારી ઓને નર્મદા કલેક્ટરે સુચનો આપ્યા
નર્મદા જિલ્લા કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે કલેક્ટર શ્રીમતી શ્વેતા તેવતિયાના અધ્યક્ષપદે જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો. જ્યાં નર્મદા કલેક્ટર શ્વેતા તેવતિયાએ નાગરિકોના પ્રશ્નોને સાંભળીને ઉપસ્થિત અધિકારી ઓને કેટલાંક રચનાત્મક સૂચનો આપીને સમસ્યાનું ત્વરિત નિરાકરણ લાવવા અંગે તાકિદ કરી હતી.
જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં અરજદારો દ્વારા જમીન, જમીન વધ-ઘટ તથા ક્ષેત્રફળ સુધારામાં પુન:ચકાસણી અને રસ્તાઓના દબાણ દૂર કરીને રસ્તાની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા સહિતના પ્રશ્નોની રજૂઆત કરવામાં આવી હતી.
આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી અંકિત પન્નુ, નિવાસી અધિક કલેક્ટર સી.કે.ઉંધાડ સહિત સંબંધિત વિભાગના જિલ્લા-તાલુકાના અધિકારી ઓ અને અરજદારો ઉપસ્થિત રહ્યાં હતા.