નર્મદા જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્ર દ્વારા ઉત્તરાયણ પર્વને ધ્યાનમાં લઈને શાળાઓમાં જાગૃતિ કાર્યક્રમ યોજાયો

રાજપીપળા, (નર્મદા) આશિક પઠાણ :-

બાળકો ને ચાઇનીસ દોરી જીવલેણ અને નુકસાન કારક હોય તેનાથી પતંગો ના ચગાવવા ની અપાઇ શીખ

નર્મદા જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્ર દ્વારા આગામી ઉત્તરાયણ પર્વને ધ્યાનમાં લઈને વિવિધ સ્થળોએ જાગૃતિ કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે. જેના ભાગરૂપે આજે શનિવારે કલરવ પ્રાથમિક શાળા- રાજપીપળા તેમજ શ્રી અંબુભાઈ પુરાણી માધ્યમિક શાળા ખાતે જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ઉતરાયણ પર્વ દરમિયાન પતંગ ચગાવતી વખતે સલામતી અને સાવધાની બાબતે વિદ્યાર્થીઓને માહિતગાર કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમ અંતર્ગત બંને શાળાના ૭૦૦થી વધુ વિદ્યાર્થીઓએ ઉત્તરાયણ દરમિયાન ચાઈનીઝ દોરી ન વાપરવા માટેની પ્રતિજ્ઞા લીધી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here