નર્મદા જિલ્લામાં આજે ૧ પોઝિટીવ કેસ નોંધાતા જિલ્લામાં કોરોના પોઝિટીવ કેસના દર્દીઓની સંખ્યા ૯૦ થઇ…

રાજપીપલા,(નર્મદા)
આશિક પઠાણ

સુરત સિવીલ હોસ્પિટલમાં નર્મદા જિલ્લાના રિફર કરાયેલાં બે દર્દીઓ ઉપરાંત રાજપીપલાની કોવીડ-૧૯ હોસ્પિટલમાં સારવાર હેઠળના સાજા થયેલાં ૭ દર્દીઓ સહિત કુલ-૯ દર્દીઓને આજે રજા અપાઇ

આજની સ્થિતિએ નર્મદા જિલ્લામાં કોરોના પોઝિટીવ કેસના કુલ ૩૭ દર્દીઓ રાજપીપલાની કોવીડ-૧૯ હોસ્પિટલમાં સારવાર હેઠળ

ગઇકાલે ચકાસણી માટે મોકલાયેલા ૨૯ સેમ્પલો પૈકી આજે ૧ સેમ્પલનો રિપોર્ટ પોઝિટીવ અને ૨૮ સેમ્પલના રિપોર્ટ નેગેટીવ આવ્યા : આજે ૨૯ સેમ્પલ ચકાસણી માટે મોકલાયા

જિલ્લામાં આરોગ્ય ટૂકડીઓ દ્વારા આજે ૫૨,૫૩૫ વ્યક્તિઓનું કરાયેલું ડોર-ટુ-ડોર સર્વેક્ષણ : ૧૩૭ જેટલા જરૂરીયાતવાળા દર્દીઓને અપાયેલી સારવાર

COVID-19 મહામારીને અનુલક્ષીને નર્મદા જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગના એપીડેમીક મેડિકલ ઓફિસર ડૉ. આર.એસ.કશ્યપ તરફથી આજે તા. ૧ લી જુલાઇ, ૨૦૨૦ ના રોજ સાંજે ૫:૦૦ કલાકે પ્રાપ્ત થયેલી જાણકારી મુજબ સુરત સિવીલ હોસ્પિટલમાં નર્મદા જિલ્લાના રિફર કરાયેલાં બે દર્દીઓ ઉપરાંત રાજપીપલાની કોવીડ હોસ્પિટલમાં સારવાર હેઠળના સાજા થયેલાં ૭ દર્દીઓ સહિત કુલ-૯ દર્દીઓને આજે રજા આપવામાં આવી છે. નર્મદા જિલ્લામાં આજે નોંધાયેલ વધુ ૧ પોઝિટીવ કેસ સહિત આજદિન સુધી કોરોના વાયરસના દર્દીઓની સંખ્યા કુલ-૯૦ થવા પામી છે. જિલ્લામાં આજદિન સુધી સાજા થયેલા કુલ-૫૩ દર્દીઓને રજા અપાતા આજની સ્થતિએ રાજપીપલાની કોવીડ-૧૯ હોસ્પિટલ ખાતે કુલ-૩૭ દર્દીઓ સારવાર હેઠળ છે. તેમજ કોરોના વાયરસ કોવીડ-૧૯ થી નર્મદા જિલ્લામાં આજદિન સુધી કોઇ મૃત્યુ નોંધાયેલ નથી.

પ્રાપ્ત થયેલ અહેવાલ મુજબ ગઇકાલે ચકાસણી માટે મોકલાયેલ ૨૯ સેમ્પલ પૈકી ૨૮ સેમ્પલના રિપોર્ટ આજે નેગેટીવ આવેલ છે. જ્યારે ૧ સેમ્પલનો રિપોર્ટ આજે પોઝિટીવ આવ્યો છે, જેમાં રાજપીપલા શહેરી વિસ્તારના રાધાસ્વામી કંમ્પાઉન્ડની રહીશ ૮ વર્ષિય એક બાળકીનો સમાવેશ થાય છે આ બાળકીને રાજપીપલાની કોવીડ હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ રખાઇ છે. આમ, આજની સ્થિતિએ નર્મદા જિલ્લામાં કોરોના પોઝીટીવ કેસના કુલ-૩૭ દર્દીઓ સારવાર હેઠળ છે. જ્યારે આજે ૨૯ સેમ્પલના રિપોર્ટ ચકાસણી માટે મોકલવામાં આવ્યાં છે.

નર્મદા જિલ્લામાં આજે તા.૧ લી જુલાઇ, ૨૦૨૦ ના રોજ આરોગ્ય ટૂકડીઓ દ્વારા કુલ-૫૨,૫૩૫ વ્યક્તિઓનું ડોર-ટુ-ડોર સર્વે કરવામાં આવ્યું છે, જેમાં શરદી-ખાંસીના ૫૩ દર્દીઓ, તાવના ૩૯ દર્દીઓ, ડાયેરીયાના ૪૪ દર્દીઓ સહિત કુલ -૧૩૭ જેટલા દર્દીઓ ઉકત ચકાસણી દરમિયાન મળી આવતાં આ દર્દીઓને જરૂરી સારવાર પુરી પાડવામાં આવી છે. તેની સાથોસાથ આયુર્વેદિક ઉકાળાનો આજદિન સુધી ૮,૩૪,૪૨૭ લોકોએ લાભ લીધો હતો અને હોમિયોપેથી રક્ષણાત્મક ઉપાય તરીકે આર્સેનિક આલ્બમ-૩૦ પોટેન્સી ગોળી ૩,૪૪,૦૪૯ લોકોને વિતરણ કરાઇ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here