ધોરાજી એહલેબેત જમાત અને સમસ્ત મુસ્લિમ સમાજના પ્રમુખો દ્વારા ડી.વાય.એસ.પી અને ધોરાજી પી.આઈ નુ સન્માન કરવામા આવ્યું…

ધોરાજી,(રાજકોટ) રાજુભાઇ બગડા :-

ધોરાજી પોલીસ પી આઈ એ બી ગોહેલ સાહેબ નું રમજાન માસ દરમિયાન સતત દેખરેખમાં સુંદર કામગીરી કરતાં અને કોઈ અજુગતું બનાવ નહીં બનતાં અને સાહેબ નાં આગમન પછી અસમાજીક તત્વો દવારા થતાં હેરાન ગતી માં પ્રજા ને રાહત મળેલ છે.
તેમની આ સુંદર કામગીરી બદલ ધોરાજી નાં એહલેબેત જમાત નાં પ્રમુખ સૈયદ ઝબુરબાપુ એ સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું આ તકે હાજર રહેલ ડી વાય એસ પી મહર્ષિ રાવલ સાહેબ નુ મેમણ આગેવાન રીયાઝભાઈ દાદાણી અને ધોરાજી નાં સમસ્ત સુન્ની મુસ્લિમ જમાત નાં પ્રમુખ યાશીન ભાઈ નાલબંધ એ પી આઈ ગોહેલ સાહેબ નેં
હાર પહેરાવી સન્માનિત કરવામાં આવ્યા હતા.
આ તકે માજી નગર સેવક ધોરાજી નગર સેવા સદન રિયાઝ ભાઇ દાદાણી અને ગરાણા સમાજ નાં પ્રમુખ સબીર ભાઇ ગની મામદ ગરાણા અને અબ્દુલ ભાઇ ગરાણા એ પણ હાજર રહ્યા હતા બન્ને અધિકારીઓ ને ફૂલહાર કરી સન્માનિત કર્યા હતા.
પી આઈ ગોહેલ સાહેબે એહલેબેત જમાત ધોરાજી નાં પ્રમુખ જબુરબાપુ સૈયદ અને યાસીનભાઈ નાલબંધ સહિત હાજર રહેલ તમામ આગેવાનો આભાર માન્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here