ધોરાજી, (રાજકોટ) રશમીનભાઈ ગાંધી :-
ધોરાજીમાં ખોડલધામ સમિતિ દ્વારા શ્રીમદ્ વલ્લભાચાર્ય મહાપ્રભુજીના ૫૪૬માં પ્રાગટ્ય મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં હજારોની સંખ્યામાં વૈષ્ણવોએ દર્શન અને મનોરથનો લાભ લીધો હતો. ધોરાજીના હિરપરા વાડી વિસ્તારમાં આવેલ કોમ્યુનિટી હોલની બાજુમાં શ્રી વલ્લભ ધામમાં યોજાયેલ ધર્મસભામાં શ્રી મહાપ્રભુજીને માલાજી ધરાવી તિલક કરવામાં આવ્યા હતા. મહાપ્રભુજીના પ્રાગટ્ય મહોત્સવ નિમિત્તે શ્રીમદ્ વલ્લભાચાર્ય મહાપ્રભુજીની ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. આ શોભાયાત્રા બેન્ડવાજા સાથે ધોરાજીના મુખ્ય માર્ગો પર ફરી હતી. જેમાં મોટી સંખ્યામાં વૈષ્ણવો જોડાયા હતા.