ધોરાજી, (રાજકોટ) રાજુભાઇ બગડા :-
રાજકોટ જીલ્લાના ધોરાજી દલીત સમાજના એડવોકેટ નરેશ રાઠોડ અને ધોરાજી તાલુકાના વેગડીના એડવોકેટ ઉદય સોલંકી એ હાલમા ભારત સરકાર દ્વારા નોટરીની પરીક્ષામાં નોટરી તરીકે પસંદગી પામ્યા છે આથી દલિત સમાજમાં ભારે ગૌરવ ની લાગણી ઉભી થવા પામી છે આ પહેલા તેઓ ધોરાજી કોર્ટમાં એડવોકેટ તરીકે સેવા બજાવેલ હતી.હાલ તેઓ ધોરાજીમાં જ નોટરી તરીકે સેવા બજાવ છે અને તેઓ દલીત સમાજમાથી સંધર્ષ સાથે અથાગ પરિશ્રમ કરીને નોટરીની પદવી મેળવી છે સમગ્ર દલિત સમાજનું ગૌરવ વધાર્યુ છે જ્યારે આપણો દેશ આઝાદ થયો ત્યારથી ધોરાજી દલીત સમાજમાં નોટરીની પદવી કોઈ પાસે નહોતી ત્યારે ધોરાજી શહેરમાંથી એડવોકેટ નરેશ રાઠોડ અને ધોરાજી તાલુકાનાં વેગડી ગામમાંથી એડવોકેટ ઉદય સોલંકી આ બંનેને ભારત સરકારનીનોટરી ની પદવી મળતા ધોરાજી દલીત સમાજ મા ખુશીનો માહોલ છવાયો છે ત્યારે ધોરાજી ગર્જના ન્યુઝ પરીવાર આ બંનેને ખુબ ખુબ અભિનંદન સહ શુભેચ્છાઓ પાઠવે છે
નરેશ રાઠોડ નોટરી એડવોકેટ મો.7777935252
ઉદય સોલંકી નોટરી એડવોકેટ મો.9824121636
પત્રકાર રાજુભાઈ બગડા ધોરાજી