પાવીજેતપુર,(છોટાઉદેપુર) મુઝફફર ધાબાવાલા :-
છોટા ઉદેપુર જીલ્લા ના જેતપુર પાવી ગામની જેતપુર ગ્રામપંચાયત દ્વારા ડેન્ગ્યુ, મલેરિયા, જેવી બીમારીઓ થી બચવા પંચાયત ના અનેક વિસ્તારો માં રોગ ચાળો ન ફેલાય તે માટે અગમ ચેતી ના પગલા રૂપે DDT પાવડર નો છંટકાવ કરવામાં આવ્યો હતો. ગામ ના અનેક વિસ્તારો સોસાયટીઓ સહિત ગ્રામ પંચાયત વિસ્તારો મા DDT પાવડર નો છંટકાવ કરવામાં આવ્યો હતો. તેમજ ગ્રામ જનોને આસપાસ ગંદકી ના કરવા તેમજ ધરો મા પાણીની ટાંકીઓ તથા પાણી ભરેલા વાસણો ધાંકવા જણાવવા મા આવ્યુ હતુ.