જિલ્લા તિજોરી કચેરી,ગોધરા(પંચમહાલ) ખાતેથી પેન્શન મેળવતા પેન્શનરો જોગ

ગોધરા, (પંચમહાલ) નવાઝ શેખ :-

જિલ્લા તિજોરી કચેરી પંચમહાલ,ગોધરા ખાતેથી IRLA યોજના હેઠળ પેન્શન મેળવતા પેન્શનરશ્રીઓ જે આવકવેરા કપાત હેઠળ આવતા હોય તેવા પેન્શનરશ્રીઓ નાણાકીય વર્ષ 2023-24નાં રોકાણ અંગેની વિગતો તથા આવકવેરા હેઠળ કપાત પાત્ર રકમની વિગતો અત્રેની કચેરીએ તા.15/12/2023 સુધીમાં રજૂ કરવાની રહેશે. અન્યથા કચેરી દ્વારા નિયત કપાત કરી લેવામાં આવશે. જેની આવકવેરા કપાત હેઠળ આવતા તમામ પેન્શનરશ્રીઓને નોંધ લેવા જિલ્લા તિજોરી અધિકારીશ્રી પંચમહાલ દ્વારા એક અખબારી યાદીમાં જણાવ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here