છોટાઉદેપુર : મધ્યપ્રદેશ રાજયના અલીરાજપુર જીલ્લાના વખતગઢ પોલીસ સ્ટેશનના બળાત્કાર અપહરણ ગુન્હાના નાસતા ફરતા ઈનામી આરોપીને ઝડપી પાડતી છોટાઉદેપુર પેરોલ ફર્લો સ્કવોડ

છોટાઉદેપુર, સકીલ બલોચ :-

પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારી, ગુજરાત રાજય, ગાંધીનગર નાઓ દ્વારા રાજયના પેરોલ ફર્લો, વચગાળાના જામીન, પોલીસ જાપ્તામાંથી તેમજ જેલ ફરારી કેદીઓ અને નાસતા ફરતા આરોપીઓ પકડવા અંગેની ડ્રાઈવ ચાલતી હોય જે અંગે સંદિપસીંઘ સાહેબ, પોલીસ મહાનિરીક્ષક, વડોદરા વિભાગ, વડોદરા તથા આર.વી.ચુડાસમા સાહેબ, ઈન્ચાર્જ પોલીસ અધિક્ષક, છોટાઉદેપુર નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ પેરોલ ફર્લો, વચગાળાના જામીન, પોલીસ જાપ્તામાંથી અને જેલ ફરારી કેદીઓ તેમજ જીલ્લાના અને જીલ્લા બહારના તથા રાજય બહારના નાસતા ફરતા આરોપીઓની ધરપકડ કરી ચૂંટણીલક્ષી અસરકારક કામગીરી કરવા તમામ થાણા અમલદાર તથા તમામ શાખાના ઇન્ચાર્જ નાઓને સુચના કરેલ જે અનુસંધાને કે.કે.પરમાર, પોલીસ સબ ઈન્સ્પેકટર, પેરોલ ફર્લો સ્કવોડ, છોટાઉદેપુર તથા સ્ટાફના પોલીસ માણસો છોટાઉદેપુર ટાઉન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન વખતગઢ પોલીસ સ્ટેશન ગુ.ર.નં.૧૫/૨૦૨૪ I.P.C કલમ ૩૬૩, ૩૬૬(એ), ૩૭૬, ૩૭૬(૨), (એન), ૫૦૬ પોકસો એકટ કલમ ૫ (એલ), ૬ મુજબના ગુન્હાના કામે નાસતો ફરતો આરોપી મનિષભાઇ શંકરભાઇ રાઠવા રહે.ઘેલવાંટ, તા.જી.છોટાઉદેપુર નાનો પકડવાનો બાકીમાં હોય અને તેને પકડવા સારૂં રૂપીયા-૨૦૦૦/- ઈનામ જાહેર કરેલ હોય તેવી અમોને જાણ થતાં બાતમીદારોને કામે લગાડી હકિકત મેળવતાં આરોપી પોતાના ઘરે હાજર હોવાની મળેલ ચોક્કસ બાતમી હકિકત આધારે તેના ઘરે તપાસ કરી મળી આવતાં તેને પકડી પાડી ઉપરોકત ગુન્હાના કામે CRPC 41(1) I મુજબ અટકાયત કરી વધુ કાર્યવાહી અર્થે છોટાઉદેપુર પોલીસ સ્ટેશન ખાતે સોપવામાં આવેલ છે.
પકડાયેલ ઇસમઃ-
મનિષભાઇ શંકરભાઇ રાઠવા રહે.ઘેલવાંટ, તા.જી.છોટાઉદેપુર

સારી કામગીરી કરનાર:-
(૧) પો.સ.ઇ. કે.કે.પરમાર
(૨) હે.કો.રાજેશભાઇ મનુભાઇ
(3) હે.કો.અમરસીંગભાઇ શંકરભાઇ
(૪) હે.કો.વિજયભાઇ નગીનભાઇ
(૫) પો.કો.મહમદસાદિક અબ્દુલભાઇ
(૬) પો.કો.યોગેશભાઇ નથુભાઇ
(૭) ડ્રા.હે.કો.યોગેશભાઇ નારણભાઇ નાઓ જોડાયેલ હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here