છોટાઉદેપુર, જાવેદ એન કુરેશી :-
છોટાઉદેપુર લોકસભા ની બેઠક જાહેર થતા છોટાઉદેપુર પંથકમાં ઉમેદવારી નો અંત આવ્યો છે આ બેઠક માટે ઉમેદવારોની કતારો લાગી હતી દરેકના મન મા કોને ટિકિટ મળશે નાં પ્રશ્નો હતાં પરંતું હવે અંત આવ્યો છે અને વર્ષોથી ભાજપા ની જવાબદારી નિભાવી રહ્યાં છે અને જીલ્લા પ્રમુખની પણ જવાબદારી નિભાવી ચુક્યા છે પણ વર્ષોની મહેનત રંગ લાવી છે અને છોટાઉદેપુર ની લોકસભાની ટિકિટ ની જાહેરાત જશુભાઈ રાઠવાના ફાળે આવી છે.