છોટાઉદેપુર નગરમાં ગંદકી અને ખુલ્લી ગટરોથી પરેશાન ગુરૂકૃપા સોસાયટીના રહીશોએ મામલતદાર ઓફીસ ખાતે વહીવટદાર ને આવેદન પત્ર આપ્યું

છોટાઉદેપુર, સકીલ બલોચ :-

છોટાઉદેપુર નગર માં આવેલ ગુરૂકૃપા સોસાયટી માં મોટાં ભાગની ગટરો ખૂલ્લી જ છે. જેથી તેમાં થતી ગંદકી ના કારણે માખી મચ્છર નો ભારે ઉપદ્રવ વધી ગયો છે. અગાઉ ના દિવસોમાં જ આ ખુલ્લી ગટરમાં માં ગાય ફસાઈ જતાં તેનુ મોત નિપજ્યું હતું. જેથી આજરોજ ગુરૂકૃપા સોસાયટી ના રહીશો એ નગર પાલિકા ના વહીવટદાર અને મામલતદાર છોટાઉદેપુર ને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે આ વિસ્તારમા પેવર બ્લોક ના કામો પણ ઓછા પ્રમાણ માં કરી ઓરમાયું વર્તન કરવામાં આવે છે. છેલ્લાં પાંચ વર્ષમાં અનેક વાર રજૂઆત કરી હોવા છતાં કોઇ જ નિરાકરણ ન આવતાં આજે આવેદન પત્ર આપી વહેલી તકે તેઓને પડતી તકલીફો નું નિરાકરણ કરવામાં આવે તેમ જણાવ્યું હતું..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here