કાલોલ, (પંચમહાલ) મુસ્તુફા મિર્ઝા :-
ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ અનુસૂચિત જાતિ મોરચાના યુવા જોડો અભિયાન અંર્તગત વિસ્તારક તરીકે પ્રદેશ અનુસુચિત જાતિ મોરચા ના મંત્રી નીલેશભાઈ આચાર્ય ખાસ ઉપસ્થિતિ વચ્ચે કાલોલ શહેર સહિત તાલુકાનો પ્રવાસ કરી અનુસૂચિત જાતિના યુવાનોને ભાજપના સદસ્ય જોડો અભિયાન અંતર્ગત કાર્યક્રમ યોજાયો હતો જેમાં જિલ્લા ભાજપ અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખ નારણભાઇ પરમાર,પ્રભારી બુધાભાઈ ખડાયતા,જિલ્લા ભાજપ અનુસૂચિત જાતિ મોરચાના મહામંત્રી કે.ડી.પરમાર અને નટુભાઈ સોલંકી,મંત્રી અશોકભાઈ મેકવાન,ડો.સુનિલભાઈ પરમાર, જિલ્લાના સોશિયલ મીડિયાના સંયોજક અરવિંદભાઈ સોલંકી, કાલોલ શહેર અનુસુચિત જાતિ મોરચાના પ્રમુખ હસમુખભાઈ મકવાણા,મહામંત્રી કંચનભાઈ સોલંકી અને કાલોલ તાલુકાના સક્રિય કાર્યકર્તા રામજીભાઈ સોલંકી સહિત મોટીસંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યાં હતાં.