કાલોલ મામલતદારને ભીલ પ્રદેશની માંગ સાથે આવેદનપત્ર આપ્યુ

કાલોલ, (પંચમહાલ) મુસ્તુફા મિર્ઝા :-

ભીલ પ્રદેશ રાજ્યની માંગ સાથે આજરોજ રાજસ્થાન, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, ગુજરાત એમ ચાર રાજ્યમાં ભીલપ્રદેશ મુક્તિ મોર્ચા‌ દ્વારા આજરોજ પંચમહાલ જિલ્લાના આદિવાસી સમાજ દ્વારા પંચમહાલ જિલ્લાના અલગ અલગ તાલુકામાં તાલુકા મથકે મામલતદાર ને માય ડિમાન્ડ ધ ભીલપ્રદેશ રાજ્ય માંગણી માટે આવેદનપત્ર આપ્યું જેમા કાલોલ ખાતે (૧)રાઠવા કરસનભાઈ નજરૂભાઈ (૨) તખતસિંહ ડામોર, (૩)નાયક નાનાભાઈ રામાભાઈ (૪) શંકરભાઈ નાયક (૫) ટીનાભાઇ નાયક હાજર રહ્યા હતા મુખ્યત્વે યુસિસી માથી આદિવાસી સમાજ ને બહાર રાખવામાં આવે નવ ઓગસ્ટે રાષ્ટ્રિય અવકાશ દીવસ જાહેર કરવામાં આવે ભિલી સાંસ્કૃતિક બોર્ડ બનાવવામાં આવે, આદિવાસી મહાપુરુષો ની મૂર્તિઓ સ્થાપિત કરવામાં આવે, અનુસૂચિત ક્ષેત્ર માં ટોલ બુથ ન રાખવામાં આવે જેવી બાબતોમાં આવેદન આપ્યુ હતુ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here