કાલોલ બરોલાના બે યુવાનોને હાલોલ પનોરમાં પાસે અકસ્માત નડતાં બંનેના ઘટના સ્થળે જ મોત.

કાલોલ,(પંચમહાલ) ઇમરાન ખાન :-

હાલોલ પનોરમાં ચોકડી પાસે હાલોલ તરફથી કાલોલ જતાં બરોલાના બે યુવાનો બાઈક લઈને પસાર થતાં હતાં.આ સમય દરમ્યાન હાલોલ પનોરમાં પાસે આવેલ માં મોગલનાં મંદિર ના ગેટ સામે જ મંગળવારની મોડી રાત્રે બાઈક પર સવાર બંને યુવાનો બાઈક લઈને પટકાતાં નજીક ના મંદિર ખાતે આવેલા દશૅનાથી ઓ પોંહચી ગયાં હતાં.કોઈ અજાણ્યા વ્યક્તિ એ ૧૦૮ ને ફોન કરાતાં ઘટનાં સ્થળે ૧૦૮ પોંહચી જોતાં બંને યુવાનો બાઈક સાથે રોડ પર ગંભીર ઈજાગ્રસ્ત હાલતમાં જોવા મળ્યા હતાં.પરંતુ૧૦૮ ના આવતાં પહેલાં જ બંને યુવાનોએ દેહ છોડી દિધો હોવાનું તબીબ દ્વારા જાણવા મળ્યું હતું . જેની હાલોલ પોલીસ ને જાણ કરી હતી.જોકે પોલીસ ફરીયાદ માં તેના પરીવાર દ્વારા બાઈક સ્લીપ ખાઈ ગયાં હોવાનું જણાવતાં પોલીસે અકસ્માત ગુનો નોંધાયો હતો. જોકે બંને યુવાનો કાલોલ તાલુકાના બરોલા ગામના મોટાફળીયામાં રહેતાં હતાં.જેમાં જયપાલકુમાર લાલભાઈ રાઠોડ ઉ.વૅ.૧૯ અને વનરાજસિંહ નરપતસિંહ જાદવ ઉ.વૅ.૨૭ આમ એક ખોબચા જેવડાં ગામના એક જ ફળિયાના બે યુવાનો નું અકસ્માત સર્જાતા મુત્યુ પામતા બરોડા ગામમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો.બરોલા ગામનાં જયપાલ અને વનરાજ સવારથી જ માતાજી નાં મંદિરે દર્શન કરવાં નિકળી ગયાં હતાં.મોડી રાત્રે બંને મિત્રો ના મુતદેહ ના વાવડ મળતાં દુઃખદ ઘટના બની હતી.પોલીસ કાયૅવાહી બાદ પોસ્ટમોર્ટમ બાદ બંને યુવાનોની મૃતદેહ પરીવાર જનોને સોંપતા બરોલાગામાં બંને મિત્રોની અંતિમયાત્રા નિકળતાં ગ્રામજનોમાં શોકની લાગણી વ્યાપી ગઈ હતી.જોકે અકસ્માત ની પરીવાર જણોએ આસપાસના દુકાનોનાં સી.સી.ટી.વી.કેમેરા તપાસ કરતાં રોડ પરથી પસાર થતા એક ટ્રેક્ટર પાછળ બાઈક ભરાઈ ગઈ હોવાનું CCTV ફુટેજમાં જણાઈ આવે છે.હવે સાચી હકીકત પોલીસ તપાસ પછી જ જણાય આવે તેમ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here