કાલોલ તાલુકાના ડેરોલ ગામમાં શ્રી ચામુંડા માતાજીના મંદિરે આસો નવરાત્રિના આઠમના દિવસે હવન યોજાયુ

કાલોલ, (પંચમહાલ) મુસ્તુફા મિર્ઝા :-

ડેરોલ ગામમાં આવેલ ચામુંડા માતાજીના ના મંદિરનું આજે ખાતમુહુર્ત કરવામાં આવ્યું આ મંદિર હવે નાના મંદિરમાંથી ભવ્ય મંદિર બનશે ખૂબ જ આસ્થા ના પ્રતીક એવા શ્રી ચામુંડા માતાજીનું મંદિરે દર્શન કરવા આવનાર દર્શનાર્થીઓની સંખ્યા દિવસે દિવસે વધતી હોવાથી આ મંદિર મોટુ બનાવવાની પ્રેરણા ચોટીલા વાળા ચામુંડા માતાજીના મંદિરેથી આપવામાં આવી ચોટીલા થી નવું ભવ્ય મંદિર બનાવવાની રજા ચિઠ્ઠી લઈ આ મંદિર હવે આવનારા સમયમાં ભવ્ય બનશે અને વધુ સંખ્યામાં એકી સાથે વધારે ભક્તો માતાજીના દર્શન કરી શકે તે માટે કોન્ટ્રાક્ટર પરિવારે માતાજીની યાજ્ઞા મેળવી આ મંદિર ભવ્ય બનાવવાનો નિર્ધાર કર્યો છે જેમાં ગોધરા, કાલોલ અને અન્ય ગામના ભાવિ ભક્તો આ મંદિર ભવ્ય બનાવશે જેનું આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું બ્રાહ્મણોની મંત્રોચ્ચાર વિધિ સાથે અને યજ્ઞ સાથે આઠમ ના હવન ની વિધિ પણ કરવામાં આવી હતી અને આ મંદિર ભવ્ય બને તે માટે સર્વ ભક્તો જરૂરી સહયોગ આપવા ચામુંડા માતાજીના ભક્તોએ વિનંતી કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here