કાલોલ,(પંચમહાલ) ઇમરાન ખાન :-
કાલોલમાં ખાતે આજે ઇસ્લામ ધર્મના મહાન પેગંબર હઝરત મોહમ્મદ સ. અ. વ.ના જન્મદિવસ નિમિત્તે કાલોલ મુસ્લિમ બિરાદરો દ્વારા જશને ઈદે મિલાદુન્નબીની શાનદાર ઉજવણી કરવામાં આવી. બપોરે જોહરની નમાજ પછી જુમ્મા મસ્જિદથી વિશાળ જુલૂસ કાઢવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો જોડાયા હતા.જુલુસ દરમિયાન ઠેર ઠેર નીયાજ (પ્રસાદ)ની વહેંચણી કરવામાં આવી હતી અને મુસ્લિમ સમાજના વેપારીઓએ ધંધારોજગાર બંધ રાખ્યા હતા.જુલુસમાં મુસ્લિમ બિરાદરો બાઇક ઘોડા સાથે જુલુસમાં સામીલ થયા હતા. ઇદે મીલાદુન્નબી નિમિત્તે ઝુલુસ નીકળ્યુ હતું. ઇદે મિલાદુન્નબી નિમિત્તે ઝુલુસનું આયોજન કરવામાં આવતા સમગ્ર તાલુકામાંથી મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો જોડાયા હતા. જેમાં ખુબ જ શાંતિ અને સદભાવનાભર્યા વાતાવરણમાં જુલુસ કાલોલ જુમ્મા મસ્જિદ થી કચેરી અને બસ સ્ટેન્ડ રહીને નગરપાલિકા થઈ પરત જુમ્મા મુસ્જિદ નુરાની ચોકમાં આવેલ અને ત્યાં અલ્લાહ તઆલાની બારગાહમાં દેશની એકતા અને સમૃદ્ધિ અનેક દુઆઓ કરવામાં આવી હતી. અને કાલોલના પી.એસ.આઈ માલવિયા સાહેબ કરુણા મેડમ સાહેબ કાલોલ ટાઉન જમાદાર ચંદનસિંહ સાહેબ અને એસ. ઓ. જી. સ્ટાફ તેમજ વિગેરે સ્ટાફ દ્વારા સતત ઊભા રહી અને જુલુસને શાંતિ અને સદભાવનાભર્યા વાતાવરણના ભાગરૂપે બની અને કીમતી સમય આપ્યા બદલ. મુસ્લિમ સમાજના આગેવાનોએ અને મુસ્લિમ બિરાદરોએ આભાર વ્યક્ત કર્યો હતો..