કાલોલમાં વેરાઈ માતાના પાટોત્સવ નિમિત્તે નવચંડી યજ્ઞ તેમજ વૈષ્ણવાચાર્યના હસ્તે નવીન શેડનું ઉદઘાટન

કાલોલ, (પંચમહાલ) મુસ્તુફા મિર્ઝા :-

કાલોલ ઝાપા બજાર ખાતે આવેલ વેરાઈ માતાના મંદિર ખાતે જ્ઞાતિ સમસ્ત દ્વારા કુળદેવી વેરાઈ માતાના પાટોત્સવ નિમિત્તે મંગળવારના રોજ નવચંડી યજ્ઞ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જ્ઞાતિના 9 થી 10 જેટલા દંપત્તિઓ જોડાયા હતા ભુદેવો દ્વારા શાસ્ત્રોકત વિધિ દ્વારા નવચંડી યજ્ઞ સંપન્ન કરવામાં આવ્યો હતો. સાંજના સુમારે વિધિ તેમજ માતાજી ની આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વૈષ્ણવાચાર્ય પૂ. પા. ગૌ ૧૦૮ શ્રી રવિકુમારજી મહારાજ તેમજ વહુજી મહારાજ ની ઉપસ્થિતિ હેઠળ મંદિરના પ્રાંગણમાં નિર્માણ થયેલ નવીન શેડ નું ઉદઘાટન મહારાજ શ્રી ના હસ્તે કરવામાં આવ્યું હતું આ પ્રસંગે વિવિધ દાતાઓ તેમજ વિશિષ્ટ સેવા આપનાર ભાઈ બહેનોનું મહારાજ શ્રી ના હસ્તે ઉપારણા ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું. ઉપસ્થિત વૈષ્ણવો એ શ્રી ના વચનામૃત નો લાભ લીધો હતો કાર્યક્રમ બાદ મનોરથીઓ નાં સાથ સહકાર થી સમુહ મા મહાપ્રસાદી નુ આયોજન કરાયું હતું જ્ઞાતી પ્રમુખ શશીકાંત પરીખ, ઉપ પ્રમુખ વિરેન્દ્ર મહેતા, મંત્રી રાજેન્દ્ર મહેતા, ખજાનચી મનોજ પરીખ ટ્રસ્ટીઓ અંજુબેન મહેતા, દિપ્તીબેન પરીખ હાજર રહ્યા હતા કારોબારી સભ્ય અને વેરાઈ માતા ગ્રુપ નાં જીતુભાઇ ગાંધી, પરેશ મહેતા, સચીન મહેતા, દીપક પરીખ, પીનલ પરીખ અને જ્ઞાતિના યુવાનો દ્વારા કાર્યક્ર્મ સફળ બનાવવા ભારે જહેમત ઊઠાવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here