એપ્રિલ-૨૦૨૪માં યોજાનાર અગ્નિવીર ભારતીય સેનામાં જોડવા માટે ઓનલાઈન અરજી અનુરોધ

છોટાઉદેપુર, ચારણ એસ વી :-

અગ્નિવીર તરીકે ભારતીય ભૂમિદળ(ઇન્ડિયન આર્મી)માં ઉજ્જવળ કારકિર્દી ઘડવા માંગતા દેશદાઝ ધરાવતા અપરણિત શારીરિક સશક્ત પુરુષ ઉમેદવારો જે આર્મીની વિવિધ કેડરની ભરતીમાં જોડાવવા ઇચ્છુક હોય તેઓએ www.joinindianarmy.nic.in વેબસાઇટ પર ઓનલાઈન અરજી કરવાની રહેશે. યોગ્ય પાત્રતા ધરાવતા ઉમેદવારે Personal Details, Communication Details, Education Details, તેમજ જાતિનો દાખલો, ડોમીસાઇલ સર્ટિફિકેટ, અને NCC સર્ટિફિકેટ, હોય તો તેની વિગત દર્શાવવાની રહશે. તદુપરાંત ઉમેદવારે અચૂકપણે પોતાનું રહેઠાણનું સરનામું, email તેમજ મોબાઈલ નંબર જેવી વિગતો ઓનલાઈન અરજીમાં દર્શાવવાની રહેશે.
ઓનલાઈન અરજી કરવાનો સમયગાળો તા.૧૩-૦૨-૨૦૨૪ થી તા.૨૨-૦૩ ૨૦૨૪ છે. જ્યારે ઓનલાઈન પરીક્ષા (CEE) તા.૨૨/૦૪/૨૦૨૪થી શરૂ થનાર છે. ભરતીમાં ઓછામાં ઓછું ધો-૮ પાસ લાયકાત ધરાવતા તેમજ તા.૦૧/૧૦/૨૦૦3 તા.૦૧/૦૪/૨૦૦૭ વચ્ચે જન્મેલા ફક્ત પુરુષ ઉમેદવારો અરજી કરી શકે છે. પ્રત્યે ઉમેદવારને પરીક્ષા ફી રૂ.૨૫૦/- ભરવાની રહેશે. છોટાઉદેપુર જિલ્લાના મહત્તમ ઉમેદવારો આ પરીક્ષા પાસ કરી પોતાનું ઉજ્જવળ ભાવિ નિર્ધારિત કરે તે હેતુસર જિલ્લા રોજગાર કચેરી,
છોટાઉદેપુર ખાતે ભરતી પ્રક્રિયા અંગે પૂરતું માર્ગદર્શન આપવામાં આવશે. વધુ માહિતી માટે જિલ્લા રોજગાર કચેરી, છોટાઉદેપુરનો સંપર્ક જણાવવામાં આવે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here