શહેરા,(પંચમહાલ)
ઈમરાન પઠાણ
આગામી તા.૩૦ ઓક્ટોબરના રોજ ઈદે મિલાદુન્નબવીનો તહેવાર આવનાર હોવાથી પંચમહાલ જિલ્લાના શહેરા નગરના મુસ્લિમ વિસ્તારના લોકોએ પોતાના ઘરોને રોશની જળ હળતા કરી દીધા છે તેમજ મસ્જિદોને પણ રોશનીથી જળ હળતા કરી દેવામાં આવી છે. ઈદે મિલાદુન્નબવીના તહેવારના ૧૦ દિવસ પહેલા મોલાના દ્વારા રાત્રીના સમયે વાયઝ શરીફ પણ કરવામાં આવતી હોય છે જેમાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો ઉપસ્થિત રહેતા હોય છે પરંતુ આ વર્ષે કોરોના મહામારીને ધ્યાને લઈ વાયઝ શરીફનું આયોજન મુલતવી રાખવામાં આવ્યું છે.