ઘોઘંબા, (પંચમહાલ) ઈશહાક રાંટા :-
આમ આદમી પાર્ટીના માનનીય દિલ્હીના યશસ્વી મુખ્યમંત્રીશ્રી અરવિંદ કેજરીવાલ, ગુજરાત પ્રમુખશ્રી ઈસુદાનભાઈ ગઢવી, માનનીય પ્રદેશ મહામંત્રી મનોજભાઈ સોરઠીયા, માનનીય કાર્યકારી પ્રમુખ ચૈતર વસાવા, જિલ્લા પ્રમુખશ્રી દિનેશભાઈ બારીયા દ્વારા પંચમહાલ જિલ્લાના ત્રણ તાલુકા ના આમ આદમી પાર્ટીના પ્રમુખ અને કારોબારી ના હોદ્દેદારો તેમજ આમ આદમી પાર્ટીના અન્ય સેલ સંગઠનના ના પ્રમુખો ના નામોની અખબારી યાદી જાહેરાત કરવામાં આવતા આમ આદમી પાર્ટીના કાર્યકરો અને આગેવાનો માં ખુશી ની લહેર છવાઈ ગઈ હતી . પંચમહાલ જિલ્લાના ઘોઘંબા હાલોલ અને મોરવા હડફ તાલુકાના હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી હતી જેમાં આમ આદમી પાર્ટીના ઘોઘંબા તાલુકાના માયનોરેટી સેલના પ્રમુખ તરીકે મુઝફ્ફર મકરાણીની નિમણુંક કરાતા ઘોઘંબા પંથકમાં શુભેચ્છાઓ ની વણઝાર વરસી હતી…